SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અવસરે અપ્રમાદપણે સ્વકર્તુત્વ કરતા રહેવું. સમ્યકપ્રવૃત્તિ અને નિવૃત્તિનો મેળ કરવો. ૪િ૮૪] કર્મજાળ-વાસનાના સંસ્કારો અતિ સૂક્ષ્મ, વિવિધ સામર્થ્યવાળા, વિચિત્રપ્રકૃતિવાળા હોય છે, જેનું વર્ણન શબ્દાતીત છે એમ કહીએ તો ચાલે. છતાં ચેતનની શક્તિ એનાથી સામર્થ્યવાન છે. એટલે સાધક ધારે તો પોતાના અંતરનિરીક્ષણ વડે કંઈક ખ્યાલ મેળવી શકે. તેમાં ક્યારેક ભય કે લોભનું, ક્યારેક કામ કે ક્રોધનું, ક્યારે અહમ્ કે મમત્વનું જોર વૃદ્ધિ પામતું જણાય. એ જ રીતે સદ્દગુરુ કે શાસ્ત્રબોધથી સમજણ, મનન કે ચિંતન દ્વારા તે દોષોનું બળ ઘટી શકે તેવો અનુભવ થાય. તે માર્ગે આગળ વધતાં શુદ્ધિ દ્વારા અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરી આત્મહિત કરી શકે. ૪િ૮૫] જીવનચર્યા નભાવતા ગૃહસ્થને રાગદ્વેષનો આમૂલ વિચ્છેદ શક્ય નથી. સંયમજીવનમાં પણ વિધિ-નિષેધ, કે ગ્રહણત્યાગનો વ્યાપાર રહે છે તેથી તેમાં રાગદ્વેષની છાયા રહેવાની, આથી ચિત્ત અશુદ્ધ રહેવાનું. સાધક શુદ્ધિ માટે જાગૃત હોવાથી તે તે પ્રકારોમાં સમભાવ રાખવા પ્રયત્નશીલ રહે છે. તેથી ક્રમે ક્રમે શુદ્ધિ વધતી જાય છે. એમ ભૂમિકાની ઉત્તરો ઉત્તર પ્રગતિ થતાં પૂર્ણ સમભાવરૂપ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલું જરૂર સમજવું કે આધ્યાત્મિક દૃષ્ટિ વગરના અન્ય જ્ઞાન-વિજ્ઞાનની પદ્ધતિ આત્મશુદ્ધિમાં ઉપયોગી નથી. ૪િ૮૬] એવા ભૌતિક જ્ઞાન-વિજ્ઞાનને જાણનારા અજ્ઞાન કોટિના જીવો તત્ત્વ વસ્તુને જાણે પણ તેનું જીવનલક્ષી મૂલ્ય આંકી ન શકે. જ્યારે જ્ઞાની વસ્તુના સ્વરૂપને જાણે, તેનું આધ્યાત્મિક મૂલ્યાંકન પણ કરી શકે. તેથી આવા સમ્યફજ્ઞાનયુક્ત જીવો વિવેકપૂર્વક પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરી શકે. આથી આચાર અને વિચારને લગતા ઘણા સુસંસ્કારો દઢ થતા જાય તેથી આત્મ-સામર્થ્ય સ્વાવલંબન થતું જાય. ૪િ૮૭] બાહ્યજીવનચર્યા હોવા છતાં સાધકને સંસાર કે મોક્ષ, સુખ કે દુઃખ અમૃતધારા ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy