SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એટલે સ્વનો અનુભવ. ધર્મમાર્ગમાં આવતા જીવોને જાણે અજાણે આત્માના અનુભવની વાત ગમે છે. પણ પછી ભૌતિક ક્ષેત્રની પ્રતિષ્ઠામાં આદત પ્રમાણે ખોવાઈ જાય છે અને સગવડ સામગ્રીમાં સુખ માને છે. તેમાં થોડો બાહ્યધર્મ કરી સંતોષાઈ જાય છે. આત્મસુખ કે અનુભવ બહારની વસ્તુ નથી. આવું તો ઘણું સાંભળ્યું ખરું ને? હવે પ્રયોગ કરો. હુંપણાનો, કર્તુત્વનો ભાવ છોડો એ હળવાશ અને સરળતા સ્વના અનુભવમાં લઈ જવા પ્રર્યાપ્ત છે. ૪િ૮૧] બુદ્ધિમાન છો તો જ્ઞાન-તત્ત્વ માર્ગે જાવ પણ હા ગૌતમસ્વામીની જેમ હુને છોડી દેજો. નહિ તો વળી આ કહું તો ફૂલીને ફાળકો થશે. હૃદયવાન છો તો ભક્તિ માર્ગે ચાલ્યા જાવ. ભક્તિમાં સમર્પણભાવમાં “મારું છૂટી જાય છે. હું તો પ્રભુનો મારું કંઈ નહિ. પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે નરસિંહ ભક્ત કહે પ્રભુએ આપ્યો હતો પ્રભુએ લઈ લીધો મારું કંઈ નહિ. ૪િ૮૨] - જ્ઞાન અને ભક્તિ બંનેમાં હું અને મારું છોડી દેવાનું. સત્ય તો એ છે કે છૂટી જાય છે. જ્ઞાન અને ભક્તિનો સુમેળ તો વળી સરળ માર્ગ છે. ભક્તિ રહિત જ્ઞાનની શુષ્કતા નહિ અને જ્ઞાન રહિત ભક્તિમાં ઉન્માદ રહિત સ્થિતિ બંનેના સુમેળથી સંભવિત છે. ઝાડને વેલ વિંટાઈ અને ટોચે પહોંચે તેમ સાધકે ધર્મને પકડવાનો છે. એ ધર્મ એટલે અંહકારનું વિસર્જન અહમનું – પરશુદ્ધતાનું સર્જન. ૪િ૮૩] એ અમૃતધારા છે જો તુ સ્વરૂપધર્મમાં નથી તો કર્મમાં છું. પ્રમાદ એ જ કર્મ છે. અપ્રમાદ એ ધર્મ છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામી દ્વારા સૌને એક જ લક્ષ કરાવ્યું પ્રમાદ છોડો. બહારમાં રહેવું, આત્માનું વિસ્મરણ કરવું, ભૌતિક સુખમાં દોડ્યા જવું, એ સૌ પ્રમાદના લક્ષણો છે થોડીવારની નિદ્રા કે ઝોકા જેટલું નુકસાન કરતા નથી, તેનાથી વિશેષ અહિતકારક, ઝેરી, પુણ્યનાશક-પદાર્થ પ્રમાદ છે. માટે સાધકે અવસરે ૧૩૨ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy