SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારે છે. [૪૬ ૩] પ્રથમ દેવ ગુરુ ધર્મની મુખ્યતા સમજે તે પ્રત્યે બહુમાન આવે, સમર્પણતા આવે. સંસારનાં કાર્યોની ગૌણતા થાય. શાસ્ત્ર શ્રવણમાં શ્રદ્ધા થાય. તપાદિમાં પ્રવૃત્ત થાય, આમ ભૂમિકા બંધાય તેમ તેમ આગળ વધી અંતર્મુખ થાય. [૪૬૪] નિશ્ચયધર્મની મુખ્યતા રાખી વ્યવહારધર્મની પ્રવૃત્તિ જિનાજ્ઞાગુરુઆજ્ઞાને આધીન યથાશક્તિ પ્રમાણે હોય છે. નિશ્ચયધર્મની ભાવનાવાળો સાધક વીતરાગ દેવાદિનો આદર ભક્તિ કરે છે; સમર્પણ ભાવ સેવે છે. વળી પૂર્ણતા ન પામે ત્યાં સુધી વ્યવહા૨ મોક્ષમાર્ગની જે જે વ્યવહાર પ્રવૃત્તિ છે તેની સમ્યક્ પ્રકારે વૃદ્ધિ કરે છે. આમ નિશ્ચયધર્મની મુખ્યતા અને વ્યવહાર પ્રવૃત્તિની યોગ્યતાનુસાર સહજ ઉપાદેયતા હોય છે. જો એમ ન સમજે તો તેને નિશ્ચયધર્મની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રાનુસારી ભૂમિકા કે ગુણસ્થાને સાધક જો વ્યવહારધર્મથી અલગ થાય તો તેને શુધ્ધધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે સાધકે આત્મસંતુલન જાળવી નિશ્ચય અને વ્યવહારધર્મને આચરવો. [૪૬ ૫] સાચો સાધક-સાધુ કોણ હોય! સાધુતા એટલે અંતર્મુખ થવું. સાધારણ મનુષ્ય પોતાથી બહાર હોય છે. અરે ! ધન, માન, પરિવાર એ સઘળાની સાથે હોય છે. પણ પોતે પોતાની સાથે રહેતો નથી રહી શકતોનથી બહાર રહેવું એ મૂર્છા છે. સ્વથી અલગતા છે તે અસાધુતા છે. ૫૨નો લગાવ તે મોહનીય છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘સુત્તા અમુણી' સૂએ છે તે અમુનિ છે. [૪૬] સાધુતા એટલે આત્મશાંતિ, સ્વાધીન આનંદ. સમ્યક્ પરિણામ સર્વ પરિસ્થિતિમાં નીરવશાંતિ, ચિત્તની સરળતાં અને સમતા પ્રાપ્ત કરવી તે સાધુતા છે. સાધુતા વેશમાં છુપાતી નથી. સાધુતા બાહ્ય સત્ય નથી એ તો અંતરનું અમૃત-સત્ય છે. [૪૬ ૭] એક સંત અને તેમનો શિષ્ય અન્યત્ર ગામ જઈ રહ્યા હતા. અમૃતધારા “ ૧૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy