SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અશાતાનો કે અશુભનો વિચાર કરવા તૈયાર થતું નથી. [૪૫] કાંટો કાઢવામાં મુશ્કેલી નથી તેના સ્થાનમાંથી ઊંચો લાવવામાં મુશ્કેલી છે. તેમ પાપત્યાગ કરવામાં મુશ્કેલી નથી તેના પક્ષપાતથી મનને મુક્ત કરવામાં મુકેલી છે. લડો કર્યો સાથે ભળી પ્રભુ સાથે. ૪િ૬૦] જ્ઞાન અને આચરણ વિષે અંતર રહે છે. જેમકે સાચું બોલવું તે શ્રવણ થાય, તે સત્ય છે તેનું જ્ઞાન થાય પણ તે પ્રમાણે બોલવામાં આચરણ કરવામાં અંતર પડે છે. આ જ્ઞાન અને આચરણને જોડનાર શ્રદ્ધા છે. યદ્યપિ જ્ઞાન સત્ય પ્રત્યે આકર્ષણ પેદા કરે છે. તે જ્યારે દઢ થાય ત્યારે જ્ઞાન સ્વયં આચરણ બને છે. જેનું જ્ઞાન થાય તેની શ્રદ્ધા થવી જોઈએ. તે આચરણ સુધી પહોંચાડે છે. અપ્પા કત્તા વિકત્તા વા દુહાય ચ સુહાય ચ | આત્મા પોતે જ પોતાના સુખનો અને દુઃખનો કર્તા છે. ૪િ૬ ૧] વીતરાગના સન્માર્ગમાં ઉત્સર્ગ અને અપવાદ બે પદ્ધતિ છે. યદ્યપિ મહાજનો યેનગત સપંથાઃ સાધક જીવો માટે ઉત્સર્ગ માર્ગ ઉપાદેય છે. અપવાદ માર્ગ પૂર્વે ઉત્સર્ગ તો હોય જ, જેમકે ભરત મહારાજને અરીસામાં ભવનમાં વૈરાગ્યદશા ઉત્પન્ન થતાં કેવળજ્ઞાન થયું. આ વાતની પૂર્વ કરેલી સંયમની સાધનાના ઉત્સર્ગને ન જાણનાર અરીસાના ઓરડા બનાવે તેમાં રાતદહાડો પડ્યો રહે તો ભ્રમિત થઈ પાગલખાના ભેગો થાય. પણ જ્ઞાન ન થાય. ૪િ૬ ૨) વીતરાગના મોક્ષમાર્ગમાં પોતાની ભૂમિકાનુસાર પોતાની અંતરદશાનું તારણ કાઢી, બાહ્ય દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને વિચારીને ઉત્સર્ગ અને અપવાદ માર્ગનો વિવેક કરી આત્મ સંશોધન કરો. બાહ્યપણે સંયમાદિની વિધિ પ્રવૃત્તિ કરે ત્યારે કથંચિત શુભરાગ પેદા થાય, કોઈવાર પ્રશસ્ત રાગની મુખ્યતા જોવામાં આવે તો પણ સાધકને તેમાં હેય ઉપાદેયનો વિવેક હોય છે. તેથી ઉત્સર્ગ એટલે ક્રમિક માર્ગને ૧૨૬ ૯ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy