SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ તે પુણ્યના ઉદયકાળમાં સુખને સુખરૂપે ભોગવી શકતો નથી. ગુણનો લોભી ધર્મક્રિયા કરતા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને પુણ્યના ઉદયે સુખ મળે ત્યારે સુખબુદ્ધિથી ભોગવતા નથી, સુખરૂપે ભોગવીને ભોગાવતો કર્મનો નાશ કરી ગુણપ્રાપ્તિમાં આગળ વધે છે. સંસારનું સુખ ગુણના લોભીની પાછળ ચાલે. સુખના લોભથી સુખ ભાગતું જાય છે. તેથી સિદ્ધના જીવોને જે સુખની અનુભૂતિ થાય છે તેનો આંશિક સ્વાદ ગુણના લોભીને થાય છે. પિપ] કામરાગ : ઈચ્છા અને વાસના રૂપ છે. તેથી સચેતન અને અચેતન પદાર્થોને ઉપયોગમાં લેવાનો રાગ તે કામરાગ. તે પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. પદાર્થો બદલાતા રહે છે. ધર્મમાર્ગમાં પણ દેવગુરુને શ્રધ્ધઆદિ જોઈને રાગ થાય પણ ગુણો પર ન થાય. તે કામરાગનો પ્રકાર છે. ૪િ૫૬] સ્નેહરાગઃ કામરાગનો વિસ્તાર. જે પદાર્થો પ્રત્યે કામરાગ થયો તે પ્રત્યેનો ગાઢ રાગ તે સ્નેહરાગ. આ રાગ ભવાંતરમાં સાથે જાય છે, જેમકે ચક્રવાક ચક્રવાકીનો નરમાદાસંબંધ અન્યના વિયોગમાં ઝૂરીને મરણ પામે. પ્રશસ્તમાં ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમસ્વામીનો સ્નેહરાગ હતો, તેથી અપેક્ષાએ કેવળજ્ઞાન અપ્રગટ રહ્યું. [૪૫૭] દષ્ટિરાગઃ અત્યંત રાગવાળા જે જે પદાર્થો દૃષ્ટિમાં આવે, સ્વપ્નમાં પણ આવે તે દૃષ્ટિરાગ છે. સ્નેહરાગની તીવ્રતા દૃષ્ટિ રાગ છે. તે તે પદાર્થો જડ કે ચેતન રાગ પૂર્વક દૃષ્ટિમાં નજરાયા જ કરે. પ્રથમના બે રાગ કરતાં દષ્ટિરાગ વધુ હાનિકારક છે. [૪૫૮]. ત્રણે રાગ હેય છે. ગુણપ્રાપ્તિ માટે નિસ્વાર્થબુદ્ધિવાળો પ્રેમ ગ્રંથિદેશ સુધી આવેલા જીવો જાણે છે. ગુણનો અનુરાગ વધે છે. મૈત્રી આદિ ભાવ પેદા થાય છે. સુખનાં સાધનો હેય રૂપે લાગે છે. એટલે સંસારમાં તીવ્ર ભાવે રાગ થતો નથી. સાગરની ભરતી સમયે ઓટનો વિચાર કરવા મન તૈયાર થતું નથી તેમ શાતાના/શુભના ઉદયમાં મન અમૃતધારા ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy