SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયાત – આ મારું પરમ કર્તવ્ય છે એવા એકાગ્ર પરિણામથી. ઘેર્યાત – કષ્ટ વખતે સ્થિર રહેવાથી. સંતોષાત – આત્મરમણતા ધારણ કરવાથી. તત્ત્વદર્શનાત – યોગ એ જ તત્ત્વ છે પરમાર્થ છે એવો વિચાર દઢ કરવાથી. જનપદત્યાગાત – ગતાનુગતિક લોકવ્યવહારનો પરિત્યાગ. આવો યોગ એટલે ધ્યાન કરવાથી થતો એકાગ્રતાનો પરિણામ. [૪૪૯] આકાશમાં રહેલા તારાઓની, પૃથ્વી પરની રેતીના રજકણોની, મેઘમાંથી વરસતા વરસાદનાં બિંદુઓની સંખ્યા ગણવી જેટલી દુષ્કર છે તેથી અધિક દુષ્કર ચંચળ એવા મનને વશ કરવું તે છે. તો પણ ઉત્સહાદિ છ કારણો સહિત પ્રયત્ન કરવામાં આવે તો, પંચપરમેષ્ટિના ધ્યાન વડે મન વશ થઈ શકે છે. તેમાં ધ્યાતા પોતે શાંતતા, સ્થિરતા, નિશળતા અને નિર્ભયતા આદિ ગુણોનો અનુભવ કરી શકે છે. ૪િ૫૦) ચિત્તની એકાગ્રતા બળાત્કાર થતી નથી. કદાચ કોઈ પ્રયત્ન કરે તો તે દીર્ઘકાળ ટકતી નથી. ચિત્તનો સ્વભાવ એવો છે કે તેને જેમાં રસ આવે તેમાં તરત જ સ્થિર થઈ જાય છે. શ્રીઅરિહંતમાં રહેલી વિશેષતામાં જીવને જેમાં રસ આવે તેમાં લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. તેથી ચિત્તની લીનતા આવી જાય છે. લીનતા આવે મંગળનું આગમન થાય છે અને વિબો ટળી જાય છે. શ્રી અરિહંતની બાહ્ય વિશેષતા આઠ પ્રાતિહાર્ય અને સમવસરણની રચના છે. અંતરંગ વિશેષતા, અનંતજ્ઞાન, વૈરાગ્ય, કરુણા વિગેરે છે. તેનું દઢપણે ધ્યાન કરનાર આત્માના અંતઃકરણમાં સમ્યક્ત્વ પ્રગટ થાય છે. મિથ્યાત્વનું ઘોર અંધારું દૂર થાય છે. અરિહંતને નમસ્કાર કરેલી ક્રિયા ચિત્તનો ભાવ જગાડવા માટેની સરળ યુક્તિ છે. ૪િ૫૧] મૈત્રી : અન્યના હિતનો વિચાર, અહીં સ્વહિતનો વિચાર ન લખ્યું. પોતાના સુખ માટે જેટલો વિચાર આવે તેટલો બીજાના સુખ માટે અમૃતધારા ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy