SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પરિબળ છે. પરંતુ જીવ જો તે કર્મોદયમાં ભળી ન જાય વિવશ ન થાય તો આત્માનું કંઈ બગડતું નથી. નિમિત્તજન્ય સંયોગમાં જો એકાકાર થયો, ઈનિષ્ટપણું થયું તો પુનકર્મની શૃંખલા ચાલુ રહેશે. બાહ્ય સંયોગોના જ્ઞાતા દ્રષ્ટાભાવમાં જામી જાય પછી શુદ્ધાત્મા પ્રત્યે પરિણતિ થશે. [૪૧૭] નિશ્ચયદૃષ્ટિના નિર્ણયમાં કંઈ ધર્મભાવના ગૌણ નથી થતી. પરંતુ સાધકનો જ્ઞાતાદ્રષ્ટાભાવ પુષ્ટ થાય છે. જ્ઞાતા દ્રષ્યભાવના અભ્યાસીએ પોતાની ભૂમિકાને યોગ્ય તપ, જપ કૃત, સંયમ, ભક્તિ આદિ સત્સાધનનો ત્યાગ કરવાનો નથી પરંતુ તે દૃષ્ટિ વડે સાધન શુદ્ધપણે કરવાના છે. જ્ઞાતા દ્રષ્ટાભાવના અભ્યાસથી જ્ઞાન, ક્રિયા, શાસ્ત્ર, કે સામર્થ્ય જેવા યોગ ત્યજી દેવાના નથી. પરંતુ તેમાં શુદ્ધિ અને વૃદ્ધિ કરી તે યોગો આત્મસાત કરવાના છે. જેથી ભૂમિકા યોગ્ય થતાં ધ્યાનાદિ આત્મસાધકને સહાયક છે. જેથી મુનિ અસંગદશાને પ્રાપ્ત થાય છે. ૪િ૧૮] પરસ્પર મળેલા જીવ પુદ્ગલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થોના અસંક્રમ એટલે અન્યોન્ય થવારૂપ, ભિન્નતાનો ચમત્કાર જ્ઞાનમાત્ર પરિણામવંત વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે.” અજ્ઞ જનો માટે તે માહિતી માત્ર રહે છે. ૪િ૧૯]. હવે જો એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ નથી, તો અન્યને શો ગુણ-દોષ કે લાભ-હાનિ કરી શકે? ન જ કરી શકે. આત્મતત્ત્વને પણ આ જ નિયમ લાગુ પડે. આત્માને પરથી લેશમાત્ર લાભ-હાનિ થઈ શકતી નથી. છતાં જીવ અનાદિ મિથ્યા મોહવશ થઈને પરથી પોતાના લાભ-હાનિ માની રાગદ્વેષની આકુળતાથી એક ક્ષણ પણ વિરામ પામતો નથી. ૪િ૨૦] અજ્ઞાનવશ પોતે પોતાના સ્વભાવને ઓળખતો નહિ હોવાથી પરદ્રવ્યો પ્રત્યે રાગદ્વેષમાં જોડાય છે, અને એકત્વનો ભાવ કરે છે. એ એકત્વનો ભાવ તોડવા માટે આત્મામાં જ નિમગ્ન થવા શાસ્ત્રકાર ૧૧૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy