SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈની નજર જતી નથી. વળી એ પટ્ટીમાં રહેલા દૃશ્યને પડદા પર લાવનાર પ્રકાશ પર કોઈનું લક્ષ્ય જતું નથી. આંખને દશ્ય જોવા મળે, કાનને શબ્દ મળે, જોનાર તેમાં તન્મય થાય છે. ૪િ૦૯] આ જ રીતે શરીર ઇન્દ્રિય અને મનની દોડધામમાં વિષયોને માણવામાં તન્મય થયેલા જીવોને તે દોડધામ-ચંચળતા જેમાંથી ઉદ્દભવે છે તે પૂર્વકર્મ કે સંસ્કાર પ્રત્યે લક્ષ જતું નથી. વળી તે કર્માદિ દેહ-ઇન્દ્રિયો ઉપર અસર બતાવે છે તે ચેતના તરફ લક્ષ જતું નથી. તેના કારણે સુખ દુઃખાદિનું વેદના થાય છે તે ચેતનાને કોઈ જાણતું નથી અને છેવટે એ ચેતનાનો સ્ત્રોત આત્મદ્રવ્ય છે તેના પર તો ભાગ્યે જ લક્ષ્ય જાય છે, જો જીવનું લક્ષ્ય સ્વસ્વરૂપ પ્રત્યે જાય તો આ પર્યાય પ્રત્યેનો તેમાં ફેરફાર કરવાનો પરભાવ છૂટી જાય. ૪િ૧૦] પ્રાથમિક ભૂમિકામાં ઉપદેશ છે કે સ્વદોષદર્શન કરવું જેથી દોષો દૂર થાય. પરગુણદર્શન કરવું જેથી ગુણવૃદ્ધિ થાય. આમ સાધનામાર્ગમાં આગળ વધાય. પણ જ્યારે સાધક અંતર્મુખ થાય છે ત્યારે પ્રશમરતિ જેવા ગ્રંથમાં જણાવ્યું છે કે સાધકે બહાર જવાની જરૂર નથી. પરગુણદર્શનથી ઉપર જઈ સાધક અંત:પ્રવિષ્ટ થઈ અંતર્લીન થયો છે તેને હવે આવો વિકલ્પ નથી. પણ જો પરદોષદર્શનમાં જવાતું હોય તો તે સકારણ સાધના બનશે. વળી સ્વગુણદર્શનમાં ઊંડાણ આવે તો ત્યાં જ સ્થિર થવું. તેનો આત્મા સાથે તાદામ્ય સંબંધ છે. અન્ય સર્વે સંયોગિક સંબંધ છે. છેવટે સ્વ-પર-ગુણદર્શન એક જ છે. ૪િ૧૧]. વિકલ્પો પરાયા, વિચારો પરાયા. શબ્દો પરાયા, દેહાદિ પરાયા છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર નિજ સંપત્તિ છે. બાકી સર્વે પર છે. આવી. દૃષ્ટિ સ્વરૂપમાં તન્મય હોય છે. સ્વઆશ્રયે સાધનાક્રમ સિદ્ધ થયો છે તેને પરસહાયની આવશ્યકતા નથી. ૪િ૧૨] દોષનેનિંદાને તટસ્થ રહીને સાંભળવા તે સાધનાનો અભિગમ છે. નિંદકને દર્પણના સ્થાને મૂકવો. દર્પણમાં મુખ પર ડાઘ દેખાય ૧૧૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy