SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મામાં સ્થાન. સુખદુઃખની ઉપર ઉઠેલા હોવું. દંઢાતીત દશા, સ્વગુણ સ્પર્શયુક્ત એ આનંદનો આવિર્ભાવ છે. [૪૦૫] તમે એવા કોઈ કુદરતી સૌંદર્યના સ્થાને ગયા નથી, તમારા સાંભળવામાં આવ્યું કે એ જગા બહુ જ સુંદર છે, ત્યાં આનંદ આવે. આવું વર્ણન તમને ત્યાં જવા સક્રિય બનાવે. આવું આત્મા વિષે વિચારીએ કે જ્ઞાની પુરુષો સ્વરૂપ પ્રાપ્તિમાં અનંત આનંદ છે તેમ અનુભવે છે. કહે છે ત્યારે તમે સક્રિય બનો કે હું ત્યાં ક્યારે જાઉં? તે માટે મારે કયો માર્ગ લેવો? આ મંથન ઊંડું બને તો તમે તેની પ્રાપ્તિ કર્યા વગર કેમ રહી શકો ? પછી તો જેમ મોટા ભોજનસમારંભનો કોલાહલ ભોજન શરૂ થતાં શમી જાય તેમ આત્માનો આનંદ મળતા કર્તા-ભોક્તાભાવના બધા જ વિકલ્પો શમી જાય. વિચારની સીમા આવે, નિર્વિકલ્પતાનો પ્રારંભ થાય. આવા વિચારમનન નિર્વિકલ્પનું સાધન બને. ૪િ૦૬] વ્યવહાર પામતાં પામતાં કાળક્રમે નિશ્ચય આવશે. આ સ્થૂલ દૃષ્ટિ છે. નિશ્ચયદૃષ્ટિને કેન્દ્રસ્થાને રાખીને શક્તિ ગોપવ્યા વગર શુદ્ધ વ્યવહાર પાળે તો નિશ્ચયફળ પામે એ સૂક્ષ્મ દૃષ્ટિ છે. નિશ્ચયદષ્ટિથી ભાવિત થયા વગર, દ્રવ્યદૃષ્ટિની મુખ્યતા વગર કેવળ બાહ્ય સક્રિયાના વ્યવહાર અનુરાગથી શુભ ભાવથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપે પ્રગટ થશે, એવો ભ્રમ ન સેવવો. ૪િ૦૭] આત્માનો સાચો પરિચય, આત્મદષ્ટિની દૃઢતા, પ્રીતિ આત્મપરિણતિ કરવા દ્વારા કામ થશે. પ્રશસ્ત રાગમાં પણ આત્માના શુદ્ધ અસ્તિત્વને સ્થાપવું નહિ. એતો ઉપદેશની પ્રણાલિ છે. સાધકે તો પોતાના તાદાત્મ સ્વસ્વરૂપમાં સ્થિત થવું. એમ જ્યારે પ્રગાઢ બને છે. ત્યારે કંઈ કરવું સ્વયં નિષ્ક્રિય બને છે. ૪િ૦૮] જેમ સિનેમાના પડદા પર જે દશ્ય ઊપસે છે. તે જોવામાં પ્રેક્ષકવર્ગ લીન થાય છે. પણ દશ્ય જેના પર ઊપસે છે તે પ્રોજેક્ટરની પટ્ટી પર અમૃતધારા ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy