SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ખતવણી ભૂત-ભવિષ્યમાં થઈ જાય છે. ભૂતકાળ ભૂલાતો જાય છે. ભવિષ્ય સંક્ષેપ બનતું જાય છે. [૩૯૧] આલોચના = વર્તમાનના દોષના નિવારણને આલોચના કહે છે. પોતાની ભૂમિકા પ્રમાણે મર્યાદામાં રહીને દોષોને પક્ષપાતરહિત સાક્ષીભાવે જોવા. પોતાના સ્વભાવમાં રહેવું તે આલોચના છે. જોકે સાધક સવિકલ્પદશામાં છે, છતાં કર્મના ઉદયમાં ન જોડાય તો તે સાચી આલોચના છે. [૩૨] અજ્ઞાની રાગ કેમ થયો તે જાણતો નથી તેની દષ્ટિ તો ભોગ ઉપભોગની સામગ્રી મેળવવા/સાચવવામાં જ છે. તે તેનાથી રંગાયેલો છે. રાગના નિમિત્ત એવા અનુકૂળ સંયોગોને રાખવા મહેનત કરે છે, તેને પોતાના માને છે. અને જે પદાર્થો પર દ્વેષ થાય છે તે સંયોગોને હટાવવા પ્રયત્ન કરે છે. તે માને છે કે રાગદ્વેષ સંયોગાધીન છે. વળી જો કંઈ પણ ધર્મ ભાવના થાય છે ત્યારે માને છે કે ઘરમાં/સંસારમાં રહેવાથી રાગદ્વેષ થાય છે. એટલે એકાંતમાં રહેવાથી રાગદ્વેષ ટળી જશે. અજ્ઞાનીને સંયોગને કારણે રાગદ્વેષ થાય છે તેવું નથી પરંતુ દ્રવ્યકર્મના ઉદયમાં એકત્વબુદ્ધિ થવાથી રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ રહિત થવા માટે સાધકે સંયોગો તરફ દષ્ટિ કરવાની નથી પણ સ્વભાવ તરફ દૃષ્ટિ કરે તો શુદ્ધાત્માના આશ્રયે ચગાદિનો અભાવ થાય. [૩૩] અધ્યાત્મ દૃષ્ટિએ જોતાં શુભાશુભ બંને આશ્રવ છે. તેમાં કોઈ તાવત નથી. ગુણસ્થાન અન્વયે જોતાં બંનેનો અભાવ સાથે થાય છે. શુભાશુભ છેદવાથી શુદ્ધસ્વભાવ પ્રગટ થાય છે. છતાં જ્યારે પર્યાયદષ્ટિએ જોઈએ ત્યારે અશુભ ભાવને છોડીને જીવ શુભ ભાવમાં આવે છે. પછી શુભમાંથી શુદ્ધમાં જાય છે. પૂર્વ ઉત્તર પર્યાયનો આવો ક્રમ છે. સાધકનો શુભ ભાવ વ્યવહારે મોક્ષનું કારણ બને છે. અશુભમાં એવો ઉપચાર પણ લાગુ પડતો નથી. મિથ્યાષ્ટિનો શુભ ભાવ પણ વ્યવહારે મોક્ષનું કારણ નથી પરંતુ કથંચિત પાપાનુબંધી પુણ્યનું કારણ અમૃતધારા ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy