SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને જાણી શકાય નહિ. ભલે જીવ વિભાવદશામાં હોય ત્યારે પણ તેણે શ્રુતજ્ઞાન વડે જીવને જ જાણવાનો પ્રયત્ન કરવો પડે. સર્વ સંબંધથી ન્યારો જોવાથી જીવનું સ્વરૂપ સમજમાં આવે છે. જીવને ગૌણ કરી શરીરાદિ સંયોગોને મુખ્ય કરવાથી પરાધીનતા જ રહેશે. જીવને પોતાના સામર્થ્યનું સ્થાન આપે તો જીવની મુખ્યતા થતાં ભૂલની સાચી ઓળખ થાય. ૩૮૮] આત્મદ્રવ્ય એક તેના પ્રદેશો અસંખ્ય, તેના પર અનંત શક્તિ. દ્રવ્ય એટલે કે સ્વભાવ એનું સામર્થ્ય જ એવું છે કે જેમાં અનંત ગુણોની રચના થાય છે. જેમકે ૧થી૧૦ સુધીના આંકડા તેમાંથી ગુજરાતમાં કરોડો ટેલિફોનના નંબરોની રચના થઈ છે છતાં કોઈના નંબર મળતા આવતા નથી. દસનું એકમ તો એનું એ જ રહે છે ને? આત્મા દ્રવ્ય સમાન છે પરંતુ પરિણામ વિશેષથી વ્યવહારમાં ભેદ છે. સામાન્ય સ્વરૂપે અનંત શક્તિરૂપે છે. અનંત ગુણ-ધમ વસ્તુ પૂર્ણશુદ્ધ. યુપદજ્ઞાનનો વિષય છે. છદ્મસ્થ જીવોને ભેદ પાડી સમજ્યા વગર છૂટકો નથી. એટલે વસ્તુને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સમજવી પડે. [૩૮] પ્રતિક્રમણ = પાપથી પાછા પડવું. પાપને ઉલ્લંઘી જવું. ભૂતકાળના દોષોનું પ્રાયશ્ચિત્ત/નિવારણ. પ્રતિક્રમણ સાચું ક્યારે ઠરે ! ભૂતકાળમાં જેવા વિભાવ કરતો હતો તેવા વિભાવ તે વર્તમાનમાં ન કરે. પણ સ્વભાવમાં સ્થિર રહેવા પ્રયત્ન કરે. તેથી ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન થતું નથી તે સાચું પ્રતિક્રમણ. જીવનો શુદ્ધોપયોગ સર્વે પાપનો નાશ કરે છે. એવું કાર્ય વર્તમાનમાં જ થાય છે પ્રત્યાખ્યાન = ભવિષ્યમાં દોષોનું સેવન ન થાય, દોષના નિવારણને પ્રત્યાખ્યાન કહેવાય છે. જે જીવ વર્તમાન પોતાની ભૂલ સુધારીને શુદ્ધાત્મારૂપે પરિણમે છે, તે ભવિષ્યમાં શુદ્ધાત્મારૂપે પરિણમે તે પ્રત્યાખ્યાન છે. જ્ઞાની વર્તમાનમાં જાગૃત છે તેના પરિણામની ૧૦૬ અમૃતધારા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy