SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શબમાં કોઈ ચેતના-જીવની કલ્પના નહિ કરીએ. એટલે જે અત્યંત અચેતન છે ત્યાં તો મૂંઝવણ નથી થતી. શબને શબ માની બાળી. મૂકીએ છીએ. પરંતુ શરીર જીવ સાથે સંબંધમાં હોય છે ત્યારે સ્વભાવની મુખ્યતા ન રાખતા સંયોગી પરિણામથી આપણે પ્રભાવિત થઈએ છીએ. અચેતન એવા શરીરને પણ જીવ માનવાની ભૂલ કરીએ છીએ. [૩૮૫] આમ શરીરમાં પણ હુંપણું માનવાની ભૂલ કરીએ છીએ. વાસ્તવમાં શરી૨ જીવના સંબંધમાં આવે છે ત્યારે પોતાનો જડ અને રૂપી સ્વભાવ ટકાવીને ચેતનાનો અભિનય કરે છે, પરંતુ જીવ શાસ્ત્રાદિ બોધ વડે પ્રજ્ઞા વડે આ ગોટાળો જાણી લે તો પોતાને શરીરાદિ સર્વ વિભાવ પરિણામો સુધ્ધાંને જુદા જાણે. અને સ્વભાવને ગ્રહણ કરી લે તે ભેદજ્ઞાન છે. [૩૮૫] ભલે અજ્ઞાનીને આત્મસ્વભાવની ખબર નથી, પરંતુ પુદ્ગલને તો જાણે છે ને ? તેના સ્પર્શાદ લક્ષણને તો જાણે છે ને ? સપ્તધાતુને જાણે છે ને ? શબ્દને જાણે છે ને ? પરંતુ જીવ રૂપને, રૂપીને જોવામાં અને તેને જ મારું માનવા ટેવાયેલો હોવાથી અરૂપીને જાણવામાં તકલીફ પડે છે. પણ એમાં તકલીફ ક્યાં છે? ધાર કે એક વ્યક્તિ માત્ર ચોખાને ઓળખીને ચોખા લઈ લે તો દાળ છૂટી પડી જવાની છે. તેમ ભલે જડ અને અશુચિરૂપ પુદૂગલને જાણતો હોય તો પુદ્ગલના ભાવને જુદા પાડી દે ને ? એટલે સ્વભાવ જુદો પડી જ જવાનો છે. આમ પુદ્ગલના મોહનું સામ્રાજ્ય છોડે તું છૂટશે. [૩૮] શુદ્ધાત્માના સ્વરૂપને લક્ષમાં લીધા પછી પણ તેને પ્રાપ્ત કરવાનું કાર્ય અજ્ઞાન-વિભાવદશામાં કરવાનું છે. હીરાની ખાણમાં વિવિધ પ્રકારના ચમકતા પત્થર હોય તેમાંથી જ હીરાની જાતને જુદી પાડવાની હો છે. [૩૮] જીવ સાથે સંબંધ ધરાવતા ઘણા પદાર્થો છે. શ૨ી૨ને ‘હું’ માનીને Jain Education International મૃતરા × ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy