SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ માગે છે. જ્યારે જ્યારે જે કાર્ય થાય તેમાં કારણો હોય તેમાં મુખ્યતા બેની છે: ૧. ઉપાદાન કારણ, ૨. નિમિત્તકારણ. કાર્ય વ્યક્ત થતું હોવાથી આપણી જાણમાં આવે છે. પણ ઉપાદાનશક્તિ જણાતી નથી કારણ કે તે અવ્યક્ત છે. નિમિત્તની ઉપસ્થિતિ જાણમાં આવે છે તેથી ભ્રમ થાય છે કે કાર્ય નિમિત્તથી થયું. નિમિત્તનો સ્વીકાર ન કરવાથી જ્ઞાન ખોટું ઠરે અને નિમિત્તે જ કાર્ય કર્યું એમ માનીએ તો શ્રદ્ધા ખોટી ઠરે. ઉપાદાન અને નિમિત્તનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્તનો અર્થ જ એ કે તે નૈમિત્તિક કાર્યનો કર્તા નથી. ૩િ૮૨] જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. પરંતુ અલ્પજ્ઞતાના કારણે ઇન્દ્રિયોના માધ્યમ વડે જાણવાનું કાર્ય કરે છે. ઇન્દ્રિયોના વિષયો, રૂપી પદાર્થો, વડે જીવને જાણી શકાય નહિ. આમ જીવસ્વયં જ્ઞાનસ્વભાવી છતાં પોતાને જાણી શકતો નથી. જીવને જ્યારે સંજ્ઞીપણું પ્રાપ્ત થાય છે ત્યારે તેને બાહ્ય સાધનરૂપે મન મળે છે. મન રૂપી, અરૂપી બંનેનો વિષય કરી શકે છે. તેથી મન વડે આત્મા જાણી શકાય. ભલે પ્રત્યક્ષ અનુભૂતિ ન આવે. પણ પરોક્ષપણે આત્માને જાણી શકે ખરો. પરંતુ જીવો એવો પ્રયત્ન કરતા નથી. શ્રુતજ્ઞાન દ્વારા, દેવગુરુ દ્વારા જીવનું સ્વરૂપ જાણી પોતે પ્રયત્ન કરે તો સ્વરૂપ જાણી શકાય. ૩િ૮૩] જીવ અનાદિકાળથી અનેક પ્રકારનાં સંયોગી ભાવો વડે સંયોગોમાં જોડાયેલો છે. તેથી તેને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. જીવને એ સર્વેથી જુદા પાડવાનો છે. ભેદજ્ઞાન વડે પ્રયોજન સિદ્ધ થાય છે. સ્વ અને પરને તેનાં પ્રગટ લક્ષણો વડે જુદા પાડીને સ્વનો અનુભવ કરવો. પ્રજ્ઞા વડે સ્વને ગ્રહણ કરવાથી પર તો જુદું હતું તે જુદું થઈ જાય છે. [૩૮૪] પદ્રવ્ય એટલે દ્રવ્યકર્મ, શરીર, સંયોગ વિભાવ બધું જ આવી જાય એ સર્વે પૌગલિક હોવાથી જડ છે. આત્મા અરૂપી છે. ચેતનમય ૧૦૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy