________________
અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. દુર્નિમિત્તથી ચિત્ત મલિન થાય છે તેથી એમ કહેવાય કે સારા નિમિત્તમાં રહેવું. [૩૭૭]
જ્યારે સંસારસાગરનો કિનારો પાસે આવે છે ત્યારે સહજ જ આત્માની રુચિ જાગ્રત થાય છે. આ આત્મરુચિ ભગવાન આત્મા અને આત્મશ સત્પુરુષને શોધવા અર્થે પુરુષાર્થને પ્રેરે છે. સત્પુરુષના સમાગમથી આત્મરુચિને અભૂતપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. ત્યારે અધ્યયન આદિ બાહ્ય પ્રક્રિયા પરથી હટી ઉપયોગ સ્વસન્મુખ થાય છે. રુચિની તીવ્રતા પુરુષાર્થની પ્રબળતા દૃષ્ટિને સ્વસન્મુખ કરે છે. નિમિત્ત ઉપાદનનો આવો સુમેળ છે. [૩૭૮]
જે નિમિત્તને જ માને નહિ તો જ્ઞાનીજનોએ કહેલાં પાંચ સમવાય કારણમાંથી નિમિત્તને માન્યું જ ન કહેવાય. તો તે પણ ખોટું છે. નિયતિપણે - કાળલબ્ધિથી જે નિમિત્ત હોય તે અંતરંગ નિમિત્ત છે. બહિરંગ નિમિત્તો અલગ અલગ હોઈ શકે. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં સાચા દેવ, ગુરુ શાસ્ત્ર કે જ્ઞાનીજનો દ્વારા દેશના મળે તે બાહ્ય નિમિત્ત છે. તે આ ભવમાં મળે કે પહેલાના ભવમાં મળી હોય. જીવ જ્યારે અંતર્મુખ થઈ શુદ્ધાત્માનું ચિંતન કરી તેમાં એકાગ્ર થાય ત્યારે જે શુદ્ધાનુભૂતિ છે તે સમ્યગ્દર્શન છે. તેમાં અંતરંગ પરિણામ નિમિત્ત
છે.
[૩૭]
નિમિત્ત ન મળવાથી કોઈ દ્રવ્યનું કાર્ય, પરિણમન અટકી જાય તેવું કદી બનતું નથી. જે સમયે જેવી પર્યાય થવાની હોય, જેવી નિયતિ કે ભવિતવ્ય હોય તે પ્રકારનું નિમિત્ત સહજતાથી મળે, તેમ નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું એમ પણ નથી. નિમિત્તની સહજ જ ઉપસ્થિતિ હોવી તે સહજ અને નૈસર્ગિક નિયમ છે. કારણ કે કાર્ય, નિમિત્તઉપાદાનની સહજતા અને સ્વતંત્રતા આવી છે.
[૩૮૦]
જ્ઞાનીજનો નિમિત્તનો નિષેધ કરતા નથી. પણ નિમિત્તના કર્તૃત્વનો નિષેધ કરવામાં આવે છે. નિમિત્ત કંઈ કરી દેશે એ ભ્રમ દૂર કરવા
અમૃતધારા * ૧૦૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org