SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ માને છે એટલે એને થાય છે કે જુઓ મેં ઘર આદિ બનાવ્યાં તેમાં રહું છું, સુખી થાઉં છું. અરે પણ વિચાર તો કરો કે જીવે ઘર બનાવ્યું, તેમાં સુખ માન્યું ત્યારે ઈંટ માટીના કયા પરમાણુઓ જીવમાં આવ્યા કે તે ભોગાવ્યા! અરે ઘરનો રાગ થવાથી જ્ઞાન રાગરૂપ પરિણમ્યું હોત તો જ્ઞાન જડ બની જાય. રાગ રાગમાં છે. જ્ઞાન જ્ઞાનમાં છે પણ જીવને ભ્રમ પેદા થાય છે. જેમ અરીસા પર દેખાતું પોતાનું પ્રતિબિંબ ચકલી પોતારૂપે જાણે છે તેમ જીવ રાગાદિનો કર્તા માને ૩િ૭૪] જે કર્યા છે તે પોતાના ભાવોનો કર્તા હોવાથી ભોક્તા હોય છે. તે નિમિત્ત માત્ર હોવા છતાં કોઈપણ પરભાવોનો કર્તા ભોક્તા બની શકતો નથી. વિભાવ દશા હોવાથી જીવને પોતાના રાગનો કર્તા અપેક્ષાએ કહેવામાં આવે છે. પરંતુ તે સર્વથા કર્મનો કરતા કે ભોક્તા કહી શકાતો નથી. તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણી જીવે પરથી ભિન્ન ભેદજ્ઞાન કરવું તે જ કર્તવ્ય છે. [૩૫] આગમોમાં અપેક્ષિત કથન આવે ત્યારે અભ્યાસીએ તેમાં બુદ્ધિના માપથી અર્થ કરવા નહિ કે મને તો તેનો અર્થ આવો લાગે છે. જેમ વિદ્યાર્થી ગણિતના પુસ્તકમાંથી દાખલો ગણે ત્યારે પાછળ આપેલા જવાબ સાથે સરખાવીને જુએ છે કે જવાબ સાચો છે કે નહિ? જો જવાબ મળતો ન આવે તો વારંવાર ગણીને જવાબ મેળવે છે. તેમ આપણને આગમની વાતો ન સમજાય તો ગુરૂગમે પુનઃ પુનઃ જાણવા પ્રયત્ન કરવો પણ બુદ્ધિ વડે માપ કાઢવું યોગ્ય નથી. [૩૭૬] જ્યારે જ્યારે વિશિષ્ટ કાર્ય થાય ત્યારે વિશિષ્ટ પર્યાય શક્તિથી યુક્ત દ્રવ્યશક્તિ જોવામાં આવે છે. ત્યારે તે કાર્યને અનુકૂળ નિમિત્ત મળી આવે છે. એમ કદાપિ બનતું નથી કે નિશ્ચય ઉપાદાન હોય અને નિમિત્ત જ ન મળે. નિમિત્તની શોધમાં બેસી રહેવું પડતું નથી. વળી નિમિત્ત કેવી રીતે મળશે તે માટે આકુલ થવાની જરૂર નથી. કાર્ય થાય ત્યારે તે ૧૦૨ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy