SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે પહેલાની ભૂમિકામાં બહારમાં કંઈ ધાર્મિક કાર્યો કે ક્રિયા કરવાના ભાવ થાય છે. વળી ક્યાંક સ્વાધ્યાય ચિંતન આદિ ભાવ થાય છે. સમ્યગ્દષ્ટિ આત્માને પણ અશુભભાવથી દૂર રહેલા શુભભાવ આવે છે. તેઓ જિનભક્તિ આદિ કરે છે. છતાં પોતાની અંતરદૃષ્ટિ પલટાઈ હોવાથી તે પર્યાયની સ્વતંત્રતા પણ જાણે છે કે મારે પર્યાયને ફેરવવાની નથી. પરમાર્થથી આત્મસ્વરૂપ છું એવા બોધથી વિપરીત ભાવો છૂટી જાય છે. સ્વયં જ્ઞાન અને શ્રદ્ધાના પર્યાય જ સમ્યપણે પરિણમે છે. શુદ્ધિ આપમેળે થયા જ કરે. આત્માર્થી જીવને આવી પ્રબળરુચિ હોય છે. જે પરની રુચિને ફેરવતો નથી અને ઉપયોગને ફેરવવા માગે છે તેને માર્ગ પ્રાપ્તિ નથી થતી. ૩િ૫૧] ભૌતિક જગતમાં જીવ બહાર કંઈ કરે છે અને મળે છે તેથી અનાદિની ભ્રાંતિ/સંસ્કારનો એવો ઘેરો છે કે એ જીવ જ્યારે પરમાર્થમાર્ગમાં આવે છે ત્યારે પણ એને એમ થાય છે કે મારી બહારની અવસ્થાઓને ફેરવી શકું છું. ઘણાં કાર્યો કરી શકું છું. આથી તે પરમાર્થ માર્ગ પણ કંઈ કરવાના અહમાં કિર્તુત્વભાવ કરે છે. હવે જો તે પહેલા પગથિયે પગ ઉપાડીને બીજે પગથિયે મૂકે નહિ તો સીડી ચઢી શકવાનો નથી. અર્થાત્ પરકર્તુત્વ ત્યજે નહિ તો પરમાર્થ સાધી ન શકાય. [૩૫૨] જીવ હાથમાં રહેલી તુચ્છ વસ્તુને છોડે નહિ તો તે હાથમાં મૂલ્યવાન વસ્તુ લઈ શકવાનો નથી. યોગ્યતા પ્રમાણે શુભાશુભ ભાવ થાય છે. તેનો તું માલિક ન થઈશ. પણ જાણનારો રહીશ તો તે ભાવો પણ છૂટી જશે. અંતઃકરણની નિર્મળ સમ્યફ પ્રજ્ઞા વડે, જ્ઞાતા દ્રષ્ટાભાવના આશ્રય વડે શુદ્ધ આત્મજ્ઞાનના અવલંબનથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. આમ ઉપરની ભૂમિકામાં પ્રવૃત્તિનિવૃત્તિમય સંયમની વાસ્તવિકતાને સમજવાથી જિનાજ્ઞાનું પાલન થાય [૩પ૩] તો પછી પુરુષાર્થ શું કરવો? અંતરંગ પરિણતિ પર દષ્ટિ કરવાને અમૃતધારા ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy