SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવમાં સ્થિર થવું તે ઉત્તમ દશા છે. તે મોક્ષપ્રાપક યોગદશા છે. એ શ્રેણીએ આરૂઢ જીવોનો સમાયોગ છે. [૩૪૭] આ સમતાયોગમાં ફળની આકાંક્ષા નથી. પુરુષાર્થના અપ્રયોજનનો વિકલ્પ નથી. કોઈ ધર્માચરણ કરી શુદ્ધ થવું તેવો મનોભાવ નથી. મને ધ્યાનાદિ સારા થાય છે વિગેરે પ્રકારના ભાવો સાધકને ઉપરની ભૂમિકામાં પણ હોય છે, પરંતુ આ સમતાયોગની પરાકાષ્ઠા એ છે કે પરમશાંતમય અસંગ નિજસ્વભાવમાં આત્મવીર્ય ઉલ્લસિત થઈ સર્વકર્મક્ષયની ભૂમિકામાં સહજ પ્રવેશે છે, આગળ છું કે પાછળ છું. મારો વિકાસ થતો જાય છે. સમજણ વધતી જાય છે તેવા વિકલ્પોનો ત્યાગ કરી મુનિમહાત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દૃષ્ટિને જમાવે છે. જેના કારણે શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપમાં જ રમણતા કરે છે. કર્મોથી સર્વથા મુક્ત થાય છે. | [૩૪૮] રાગાદિ વિભાગ પરિણામ નિશ્ચયથી આત્મામાં થાય છે, દેહમાં થતાં નથી. પરંતુ પુગલના નિમિત્ત પામીને થતા હોવાથી પૌગલિક-જડ છે. ચેતનાના નથી. રાગાદિની ઉત્પત્તિ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાંથી થતી નથી. આત્મામાં થતાં જણાતા છતાં તે ઔપાધિક, ક્ષણિક, કર્યજનત, પુદ્ગલ આશ્રયી હોવાથી શુદ્ધાત્માથી પર સમજવા તેમ બોધ પામીને જીવ રાગના વિકલ્પોને છોડી રાગમાં આત્મબુદ્ધિ-સુખબુદ્ધિને ત્યજી આત્માને રાગના જ્ઞાતાપણે ધારણ કરવો. ૩િ૪૯] યદ્યપિ જીવ જાણે કે હું રાગાદિનો માત્ર જ્ઞાતા છું કર્તા નથી. છતાં દેહના સંયોગે ઉદયાધીન વૃત્તિ પ્રવૃત્તિ થવાની એ ઉદયને રોકી શકાતો નથી. પણ કર્મના વિપાક-ઉદય સમયે જીવ મમત્વ કે એકત્વબુદ્ધિ ન કરે, કર્મના ઉદય વખતે વિભાવદશામાં બોધની પરિણતિ ટકી રહે કે હું તો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છું. તો કર્મે કરી જીવ બંધનનો ભેદ છેદ કરી સ્વરૂપપ્રાપ્તિ કરે. [૩૫]] સ્વરૂપને યથાર્થપણે સમજવાથી જ પરિણામ સ્વયં પલટી જાય ૯૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy