SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અશુદ્ધ પારિણામિક ભાવ છે. ૩િ૪૩] ઔદયિક આદિ ચાર ભાવ ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ એવા વિકારોવાળા છે, પરમપરિણામિકભાવ એવા વિકારોરહિત છે. ભવ્યને પારિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને કારણે પરમસ્વભાવ છે. તે સર્વે કર્મોને છેદવા સમર્થ છે પરંતુ આ પરમભાવ, ત્રિકાલ નિરાવરણ નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી વિરુદ્ધના તીવ્ર મિથ્યાત્વના ઉદયથી વિદ્યમાન હોવા છતાં કુદૃષ્ટિને અવિદ્યમાન છે. કારણ કે મિથ્યાદૃષ્ટિને પરમભાવના વિદ્યમાનતાની શ્રદ્ધા નથી. [૩૪૪]. અભવ્યોને શક્તિ અપેક્ષાએ પરમભાવપણું છે પરંતુ જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણના રાશિને સુવર્ણપણું છે પણ તે વ્યવહારયોગ્ય થતું નથી તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું હોવા છતાં પ્રગટ થતું નથી. કારણ તે જીવો તે પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે. જેમ યોગ્ય ગાય ભેંસના પેટમાં ઘાસ જાય તો દૂધ બને. ઘોડા ગધેડાના પેટમાં જાય તો ન બને. તેમ અભવ્યો ચારિત્ર પાળે તો પણ મુક્તિ ન પામે. ૩િ૪૫ આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેની ફળશ્રુતિ સમતાભાવ છે. ચંદનનો સ્વભાવ સુવાસ છે, તે દરેક અંગમાં વ્યાપક છે. બાળો, ઘસો, છોલો, તો પણ સુવાસ અને શીતળતા જ આપે એમ આત્મા દરેક પરિસ્થિતિમાં સમતામાં જ ટકે. ઉપસર્ગ હો, પરીષહ હો, પ્રતિકૂળતા હો, કોઈ પણ પ્રકારના ઉપદ્રવ હોય, દરેક પરિસ્થિતિમાં આત્મા સ્વભાવરૂપ સમતા જ રહે તે મોક્ષનો અધિકારી છે. ૩િ૪૬] અન્યથા અન્યના વિખકારક વ્યવહાર સમયે જીવમાં વિષમતા થવી તે વિભાવદશા, અધમદશા છે. વળી જીવ વિચારે કે મારા નિમિત્તે આ જીવને કલુષિત પરિણામ થયા એવી ભાવદયા એ શુભભાવ છે પરંતુ તે પરલક્ષી હોવાથી તે મધ્યમદશા છે. જીવને આ વિકલ્પથી આગળ વધવાનું છે. પરલક્ષને બદલે વિકલ્પરહિત સમતારૂપી અમૃતધારા ૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy