SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ દઢ થયેલો છે ત્યાં પુણ્યયોગે કોઈ પ્રબળ નિમિત્તયોગ થઈ જાય અને સાધક સાવધાન હોય તો સ્વસ્મૃતિ પર જામેલી રાખ ખંખેરી શકે પણ જો એ પણ મોહની પ્રબળતાએ ચૂક્યો તો પુનઃ એવો યોગ મળવો દુર્લભ હોય છે. [૩૪૧] પરરૂપ સ્વરૂપ નિહારત મનમેં અતિ હરખાયો પુદ્ગલ કા સબ દેખ પસારા તાહિમેં ભરમાયો, હો નમિજિન મૈ નિજ રૂપ ન જાન્યો.” ઔદયિક, ઉપરામિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક આ પાંચ ભાવોમાં પરમશુદ્ધ પારિણામિક ભાવ જે સ્વરૂપથી અભેદ છે. તે મોક્ષરૂપ/ ધ્યેયરૂપ છે. યદ્યપિ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તે પરમશુદ્ધ પારિમાણિક ભાવની પ્રાપ્તિના હેતુભૂત, શુદ્ધ ઉપાદાનરૂપ હોવાથી મોક્ષનું કારણ છે. ઉત્તરોઉત્તર આત્મઉત્થાન કરનાર હોવાથી ધ્યાનરૂપ છે. ઔદયિકભાવ મોહનીય કર્મના બંધના કારણભૂત હોવાથી હેય છે, જ્યારે કાલલબ્ધિ વિગેરેના નિમિત્તથી ભવ્યત્વ શક્તિની પ્રગટતા થાય છે ત્યારે શુદ્ધાત્મા સન્મુખ જે પરિણામ થાય છે તે ભાવનારૂપ છે. એ મોક્ષનો ઉપાય છે, તે રત્નત્રય સ્વરૂપ છે. તે રત્નત્રય આત્માના અનુભવરૂપ છે. મોક્ષના કારણે થતા ભાવોમાં ઉપયોગને સ્થિર કરી સ્વસ્વરૂપનો અનુભવ કરી આત્મસુખનો લાભ કરવો યોગ્ય છે. ઔદયિક, ઉપરામિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક આ ચાર ભાવો પર્યાયરૂપ છે. પરંતુ શુદ્ધ પારિમાણિકભાવ દ્રવ્યરૂપ છે. જોકે જીવ મૂળ સ્વરૂપે દ્રવ્ય કે પર્યાયરૂપ નથી. અપેક્ષાએ બંને વસ્તુના આધારભૂત [૩૪૨] જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ પારિણામિકભાવની અવસ્થાઓ છે. તેમાં શક્તિરૂપ જીવત્વ પરમશુદ્ધપારિણામિકભાવ, નિાવરણ, બંધમોક્ષની પર્યાયની પરિણતિરહિત ત્રિકાળ એકરૂપ રહેલ છે. બાહ્ય દશપ્રાણરૂપ જીવત્વ ભવ્યત્વ કે અભવ્યત્વ તે પર્યાયરૂપ હોવાથી તે ૯૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy