SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તને શું લાભ કે હાનિ છે ! ૩િ૩૭] તત્ત્વદૃષ્ટિએ, નિશ્ચયથી સ્વભાવમાં ઠરવાનું છે. નિશ્ચયનો આશ્રય લીધા વગર મનનો નિગ્રહ થતો નથી. મિથ્યાભાવનું પોષણ થતાં રાગાદિમાં એકત્વ વધતું જાય અને ધર્મક્રિયા ભાવરહિત ગતાનુગતિક થતી જાય. વાસ્તવમાં વૈરાગ્યવાસિત આત્માર્થીને એકે નયની જરૂર નથી. એ સર્વે આત્માને સ્વસ્વરૂપે ગ્રહણ કરવા માટે છે. વીતરાગ દશા પ્રગટ થયેલા ઉપશમભાવવાળા મહાત્માઓનો એ સર્વ ઉપદેશ વીતરાગદશા પ્રગટ કરવા માટે છે. ૩૩૮] દેવ ગુરુનો ઉપદેશ જીવને સન્મુખ થવા માટે છે. અમને ગુરુ મળી ગયા હવે અમારા કર્મનો નાશ તેઓ કરી દેશે. તમારે તેમને સમર્પિત થઈ જવાનું છે. પછી કંઈ ચિંતા નહિ એ ભ્રમ છે. આપણે મુસાફરી કરવા સ્ટેશને જઈએ ત્યારે સામાનનો ભાર મજૂરને માથે મૂકી દીધો પછી તારે કંઈ ચિંતા ખરી ? અરે મજૂરની પાછળ બરાબર ચાલે છે. એ સામાનની ચિંતા તું કરે છે કે મજૂર કરે છે? પછી ગાડીમાં બેસે ત્યારે ભાર તારી પાસે રહે છે કે મજૂર પાસે? તેમ તારે ગુરુની આવી પોકળ માન્યતા માટે વિચારવું. તારા કર્મ તો તારી સાથે જ રહેવાનાં છે. તારે જ તેને નાશ કરવાનાં છે. [૩૩૯] જ્ઞાની કે અજ્ઞાની સંયોગોને કોઈ ફેરવી શકતું નથી. કારણ કે સંયોગો પદ્રવ્ય છે. સંયોગોને આધીન થઈ જીવ સંયોગી ભાવ, મોહ, રાગદ્વેષાદિ વિભાવ કરે છે. અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ, અનંતાનુબંધી રાગદ્વેષરૂપ સંયોગી ભાવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીજનોને તત્ત્વનો યથાર્થ નિર્ણય હોવાથી એવા સંયોગી ભાવ પેદા થતા નથી અને જે કંઈ કષાયના રસ રહ્યા હોય છે તે પણ વીતરાગભાવની વૃદ્ધિ થતાં શમી જાય છે. [૩૪] પ્રારંભિક સાધકના સાધનાકાળમાં એવું બને છે કે સ્વની વિસ્મૃતિનો ગાઢ સંસ્કાર છે, પરરૂપને જ પોતાનું જાણ્યું છે, તે સંસ્કાર અમૃતધારા ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy