SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવમાં આપણી સમસ્યા ધ્યાન કેવી રીતે કરવું તે નથી પણ ધ્યાનનું ધ્યેય જ સમજાતું નથી. તે વિષેનું અજ્ઞાન જ સમસ્યા છે. એટલે જીવો અનેક પ્રકારના ધ્યાન કરવા દોડે છે. કારણ કે અરિહંતાદિના સ્વરૂપનું અજ્ઞાન છે. તે અરિહંતાદિ પોતામાં મૂર્તિમંત કરવા એ ધ્યાન છે. જેના વડે જીવ કર્મોથી સર્વથા મુક્ત થાય છે. ૩િ૩૪] ભાવમન-દ્રવ્યમના ગુણદોષોનો વિચાર અથવા સ્મરણાદિરૂપ આત્માના ઉપયોગને ભાવમન કહે છે. એ વિચાર અને સ્મરણાદિ સન્મુખ થયેલા આત્માના ઉપયોગને ભાવમનને સહાયતા કરવાવાળા પુદ્ગલ પિંડને દ્રવ્યમન કહે છે. આત્માનું પરિણમન, પરિણામ, પરિણતિ તેને ઉપયોગ કહે છે. આત્માના પરિણામ જે ચૈતન્યગુણની સાથે રહેવાવાળા છે. તે ઉપયોગ છે પદાર્થને જાણવાનો જે વ્યાપાર તે ઉપયોગ છે. અર્થાત્ જીવનો સ્વભાવ જાણવાનો છે. [૩૩૫] કર્મસંયોગે દેહાદિ, પુદ્ગલનો સંબંધ, રાગાદિ વિભાવ અને શબ્દવિચાર-વિકલ્પ ઉપર કેવળ જાણનાર જેનો સ્વભાવ છે તેવા આત્માનો શું અધિકાર હોય ? જીવના વિકલ્પ, ઇચ્છા, આજ્ઞા અને પ્રયત્ન પ્રમાણે દેહાદિ કાર્ય કરતા હોય તો જીવને ન ગમતા પદાર્થો, રોગ, શોક, દુઃખ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ કેમ આવે? તે સર્વે પૂર્વકર્માનુસાર ઘટતી અવસ્થાઓ તીર્થંકર ચક્રવર્તીઓ કે રાજા મહારાજા પણ ફેરવી શક્યા નથી. જીવન પરનું કંઈ કરવાના મિથ્યા મમત્વાદિ શા માટે! જો વિભાવને તું રોકી શકે તો તો તારું કામ થઈ જાય, તું વીતરાગી થઈ જાય, વિભાવને રોકવાથી વીતરાગી થવાતું નથી. [૩૩૬] રાગાદિ જેમ સારા નથી તેમ તારા પણ નથી તું રાગાદિ કરી શકે છે તેમ માનતો હોય તો તેને તે દૂર કરી શકે છે એટલે તું ન તો તેને રાખી શકે છે કે દૂર કરી શકે છે તે તેના સમયે આવે છે જાય છે. તું કેવળ સ્વભાવમાં રહે તો, રાગાદિ આવે કે જાય 0 2 અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy