SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ જ્ઞાનાદિ આરાધના વધે તેમ નમ્રતા વધે, સર્વ જીવો પ્રત્યે સરળ વ્યવહાર હોય છે. યતિને કોઈ પદાર્થની આકાંક્ષા નથી તેથી સંતોષ હોય છે. મનની પવિત્રતા એ તેનું અનોખું લક્ષણ છે. પાંચ ઇન્દ્રિયોનો સંયમ રાખનારા છે, સત્યાદિ વચનનો ત્યાગ કરતા નથી. પાર્થિવ પદાર્થોનો સંગ્રહ કરતા નથી. અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ ઉપરાંત મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવનાના અભ્યાસી છે. તેથી સમતા એ જ તેમની જીવનચર્યા છે, ઉત્તમ સમતાના ધારક યતિ દસ ધર્મોનું યથાર્થ પાલન કરે છે. મુનિધર્મની આ સુવાસ જગતના જીવોને શિક્ષણદાતા છે. साम्यं समस्तधर्माणां सारं ज्ञात्वा ततो बुधः । बाह्यं दृष्टिग्रहं मुक्त्वा चित्तं कुरुत निर्मलम् ॥ ८४ ॥ ભાવાર્થ: હે વિદ્વાનો, તેથી સમભાવ તે સર્વ ધર્મોનો સાર છે એમ જાણીને બાહ્ય દર્શનોનો કદાગ્રહ મૂકી ચિત્તને નિર્મળ કરો. વિવેચન : હે વિદ્વાનો ! સુજ્ઞો ! સર્વ ધર્માચરણમાં સમભાવની મુખ્યતા છે. તપ-જપાદિ કરે, સંયમાદિના કષ્ટ વેઠે, જંગલમાં એકાંતવાસ કરે, અહિંસાદિ આચારો પાળે, મૌન સેવે, હઠયોગ કરીને આસન-પ્રાણાયામનો જપ કરે, શાસ્ત્રો કંઠે કરી વાદવિવાદમાં જીતે, તો પણ જો સામ્યભાવ-સમતા નથી તો તે કોઈ પ્રકારમાં ધર્મ નથી. કારણ કે સમતા એ ધર્મોનો સાર છે. ધર્મની પ્રભાવના થશે એમ માનીને વિધિવિધાનોનો કે બાહ્ય દર્શનોનો આગ્રહ રાખે તો પણ ધર્મની પ્રાપ્તિ નથી, વિચારો, સમજ રહિત કરેલી સર્વ ક્રિયાકલાપ કેવળ વ્યગ્રતા છે. મારા તારા મતના ભેદ છે. ત્યાં ધર્મને સ્થાન નથી. જેમ ધર્મ સમતામાં છે, તેમ ચિત્તની નિર્મળતા ધર્મનો મર્મ છે. સર્વ પ્રકારની શ્રેષ્ઠ ક્રિયા પણ ચિત્તની નિર્મળતા વગર યથાર્થ ફળદાતા બનતી નથી. માટે ધર્મ પ્રાપ્તિ માટે પ્રથમ ચિત્ત નિર્મળ કરવું. મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only ૮૧ www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy