SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વળી આ મોતનું કાર્ય એ છે કે સ્વયં પોતાનું જ અહિત થતું હોય તો પણ તે જીવને ચિત્તભ્રમ કરાવી દે છે. જેમ કે બે ભાઈઓને અલ્પ એવા ધન માટે મતભેદ કરાવે. પછી સ્વાર્થને જોડીને એ મત સાચો છે તેમ ઠરાવે, તેમાંથી બંનેને મનદુઃખ કરાવે, તેમાંથી ઝઘડો ઊભો થાય. બંધુપ્રેમ ભૂલીને બંને ભાઈઓ વેરના ઝેર ઊભાં કરી કોર્ટ-કચેરીએ જઈ બંધુતાને પૂરી શત્રુતામાં ફેરવી આ મોહ કેવો બળવાન છે કે બંને ભાઈના મનમાં એક સરખો જ ભ્રમ પેદા કરે. અરે ધર્મક્ષેત્રમાં સાધર્મિકોમાં પણ આવો ભ્રમ પેદા કરાવે. અને જ્યાં છૂટવાનો માર્ગ લેવાનો હોય ત્યાં જ આગ્રહથી બંધન પેદા કરે. દરેકને એમ લાગે હું સર્જન છું. અન્ય દુર્જન છે. વાસ્તવમાં બંને પક્ષ દુર્જનતા આદરે છે. માટે આપ્ત પુરુષોના જ્ઞાની પુરુષોનાં વચન ગ્રહણ કરી આવા સ્વાર્થજનિત દોષોને ત્યજી દેવા અને ઉત્તમ ગુણોને ધારણ કરવા. धर्मस्य बगुधाऽध्वानो लोके विभ्रमहेतवः। तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥ १०॥ स्वस्वदर्शनरागेण विवन्दतो मिथो जनाः। सर्वथैवात्मनो धर्मं मन्यन्ते न परस्य तु ॥ ८१ ॥ ભાવાર્થ : લોકમાં વિભ્રમના કારણભૂત અનેક ધર્મમાર્ગો છે, તેમાં બાહ્યાડંબરોના યોગે તત્ત્વમાં ભ્રાંત દષ્ટિવાળા બનેલા લોકો પોતપોતાના ધર્મને સાચો માને છે. પણ બીજાના ધર્મને ધર્મ માનતા નથી. વિવેચન : જેટલા મત તેટલા પંથ, જ્ઞાનના ક્ષયોપશમના આ કાળમાં લોકમાં ધર્મના મત પણ ઘણા છે. ધર્મક્ષેત્રે કંઈક પ્રસિદ્ધિ મળે વિદ્વાનોમાં ક્યારેક ભ્રમ પેદા થાય છે. અને પોતાની માન્યતા પ્રમાણે ધર્મમાર્ગની પ્રરૂપણા કરે છે. બાહ્ય આડંબરોના પ્રભાવે લોકોમાં પણ ભ્રાંતિ ફેલાવે છે. તત્ત્વની વાત આગળ ધરીને પોતાનો ધર્મ સાચો છે તેમ કહીને અન્યનો ધર્મ ખોટો છે તેમ માને છે. અને અન્યોન્ય વાદવિવાદ કરી ધર્મનો ભ્રમ પેદા કરે છે. મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only owww.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy