SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ યોગથી કાયશુદ્ધિ થાય છે. ૪ પ્રાણાયામ : શરીરધારી આત્માને પ્રાણ તે જીવનનું સાધન છે. તેમાં પણ મહાવાયુ વગેરેનું સમત્વ અને શ્વાસોચ્છવાસનો સંયમ સાધનાનું અંગ છે. ૫ પત્યાહાર : ઇન્દ્રિયોના વિષયોનો પરિહાર થવો તે સમત્વ પ્રત્યે અભિપ્રેત છે. ૬ ધારણા : શુદ્ધ વિષયમાં ચિત્તનું સ્થિર થવું તે સમત્વની સાધના છે. ૭ ધ્યાન : આત્મસ્વરૂપમાં લીન થવું તે સમતા છે. ૮ સમાધિ : સાતે અંગોની ફળશ્રુતિ સમાધિરૂપ સમતા છે. આ આઠ અંગોની સાધના કેવળ સમતા માટે છે. ચેતનાશુદ્ધિનો ક્રમિક વિકાસ છે. તેમાંના કોઈ અંગને ત્યજીને સાધના કરે તો વાસ્તવિક સમાધિ પામતો નથી. મુખ્ય કે ગૌણપણે આઠ અંગોનો સમાવેશ કરીને સાધનાની સિદ્ધિ થાય છે. क्रियते दधिसाराय दधिमन्थो यथा किल ।। तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः ॥ ६४ ॥ ભાવાર્થ : જેમ દહીંના સાર માટે દહીંનું મંથન કરાય છે, તેમ સમતારૂપી સારને માટે યમ નિયમાદિ અભ્યાસ કરાય છે. વિવેચન : મનુષ્યનું જીવવું સાર્થક બને છે સમતાપૂર્ણ જીવનથી. સમૃદ્ધિ હોય, સંપત્તિ હોય, સ્વજનો હોય, સત્કાર હોય, પણ સમતા ન હોય તો સર્વ વ્યર્થ છે. સમૃદ્ધિ હોય પણ સંતોષ ન હોય, સંપત્તિ હોય પણ દાન – ઉદારતા ન હોય, સ્વજનો હોય પણ સંપ ન હોય. સત્કાર હોય પરંતુ નમ્રતા ન હોય તો જીવનમાં ઉત્તમતા નથી. તેમ તપ જપાદિના યોગ છે. અનુષ્ઠાનોનો અવકાશ છે પરંતુ રાગદ્વેષમુક્ત સમતા નથી. તો જીવન નિસાર છે, તુચ્છ છે. - દહીં ઘણા દિવસ રાખો વિકૃત થશે. તેનું મંથન કરવાથી તેમાંથી સાર નીકળશે. તેમ જીવનના ચૈતન્ય સ્વરૂપ સાગરનું મંથન કરવાથી ૬૨ મંગલમય યોગ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy