SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા હીનસત્વ છે અને હું કંઈક છું એવો અહંકાર જીવને જગતમાં વધુ દરદ્રી અને શોચનીય બનાવે છે. માટે અન્યના દોષ જોવા નહિ. અથવા મોટા દોષ હોય તોપણ ગૌણ કરવા. અને તારા નાના દોષને પણ જતો ન કરીશ, જુએ ત્યારથી તેનો છેદ કરજે. હુંપણું છોડીને અન્યના ઉપકાર પ્રત્યે દૃષ્ટિ કેળવજે તો ઋણમુક્ત થઈ ભવમુક્ત થઈશ. વસ્ત્ર ધોનારો પણ ધન લઈ તે કામ કરે છે. તું શા માટે મફતમાં એ કામ કરવા તત્પર થયો છું ? અન્યના દોષ જોવાનું ત્યજીને જ્યારે જે સમયે તું તારા દોષનું દર્શન કરીશ તે જ સમયે તારામાં આનંદની લહેર ઊઠશે. નિર્દોષતાની રસસિદ્ધિ તને અમરપદ સુધી લઈ જવાનો ભોમિયો બનશે. માટે ખૂબ સાહસ કરીને પણ તું આ અવગુણ ત્યજી દે અને સદ્ગુણનો આરાધક થા. रागद्वेषविनाभूतं साम्यं तत्त्वं यदुच्यते । स्वशंसिनां क्व तत् तेषां परदूषणदायिनाम् ॥ ६० ॥ ભાવાર્થ : રાગદ્વેષના અભાવરૂપ જે સામ્યતત્ત્વ છે તે આત્મશ્લાઘા કરનાર અને બીજાના દોષ જોનારમાં ક્યાંથી હોય ? વિવેચન : જ્ઞાનસારમાં કહ્યું છે કે જે ગુણવાન છે તેને પોતાની પ્રશંસા કરવાનું કોઈ પ્રયોજન નથી. અને ગુણો જ નથી તો તારે તેમાં કહેવાનું શું રહે ? અર્થાત્ એકે પ્રકારે તું તારી પ્રશંસા કરે તેમાં તારી સજ્જનતા નથી. રાગદ્વેષના અભાવરૂપ જે સામ્યતત્ત્વ છે તે જ આત્મા છે. જો તું સામ્ય ભાવમાં છું તો તારે પ્રશંસા કરવા કે કરાવવાની જરૂરત નથી. વિશ્વ તારા પ્રત્યે આદરવાળું બની જશે. પછી તા૨ે લોકોની ખુશામત કરી યશ મેળવવાની જરૂર નથી. માટે સ્વપ્રશંસા અને પરદોષદર્શનને ત્યજી સમતાભાવમાં સ્થિર રહે, પરમાર્થ દૃષ્ટિથી જોતાં જગતના સર્વ પદાર્થોનો મૂળ સ્વભાવ જોતાં કોઈ વિષમતા નથી. માટે રાગાદિ ભેદભાવ વગર પદાર્થનું સ્વરૂપ વિચારે તો દોષબુદ્ધિ ટળી જાય. વાસ્તવમાં રાગદ્વેષ રહિત મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only Че www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy