SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણોને જાણી શકતું નથી. અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન છે. તેથી તેને ઊલટું જ દેખાય છે. અન્યના ગુણો તેને દોષરૂપે જણાય છે અને ન હોય તો પણ દોષ દેખાય છે. નાના દોષો મોટા દોષો જેવા જણાય છે. અજ્ઞાનરૂપી અંધકારમાં દ્વેષની મુખ્યતા થાય ત્યારે તે જીવને અન્ય દોષો જણાય છે. અને પોતાના દોષો જણાતા નથી. દૃષ્ટિના અંધાપા કરતાં પણ દ્વેષનો અંધાપો વધુ હાનિકારક છે. કારણ કે તે દોષની વૃદ્ધિ કરે છે અને ગુણોની હાનિ કરે છે. છતાં મોહવશ જીવ તે જાણી શકતો નથી. ' વાસ્તવમાં આગળ જણાવ્યું તેમ મૈત્રી આદિ ભાવ વગરના અજ્ઞજનોમાં આ દોષ વ્યાપક હોય છે. આ ડંખીલા અંધાપાને દૂર કરવો હોય તો પ્રમોદ ભાવનાને વિશેષ પ્રકારે હૃદયમાં સ્થાપિત કરવી. અન્યના દોષ જોનારને ક્યારે પણ પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. પરંતુ પ્રમોદ ભાવવાળાને પ્રસન્નતાનું સુખ હોય છે. અન્યના દોષોનો વિચાર જ મનને ભારે બનાવે છે. અન્યના ગુણ હૃદયમાં વસે છે. ત્યારે જીવન જ ભારરહિત બને છે. मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु । मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ॥ ५५ ॥ तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः। તિ મરિને દૂરોત્સારિતાdવસારતઃ ફ૬ |() ભાવાર્થ : મારું દર્શન (મત) શ્રેષ્ઠ અને બીજા દર્શનો પાખંડ છે. મારું શાસ્ત્ર સારયુક્ત છે, બીજાં શાસ્ત્રો અસાર છે. અમે જ તત્ત્વજ્ઞાનીઓ છીએ બીજા તત્ત્વથી અજાણ છે, અને ભ્રાંત છે. તેઓ સ્વયં માત્સરી છે. તત્ત્વથી દૂર રહેનારા છે. વિવેચન : દર્શનનો સાચો અનુયાયી તટસ્થ હોય છે, પરંતુ જેને દર્શનનો-મતનો આગ્રહ છે તેની મતિ આગ્રહી બને છે. તે માને છે કે મારો મત સાચો, એટલે હું સાચો. આથી આવેશ અને આકુળતાથી તે અન્યના મતનું ખંડન કરે છે. દરેક દર્શનના દર્શનકારો મહદ્દઅંશે મેધાવી હોય છે. તેઓની દૃષ્ટિમાં જેટલું સત્ય જણાયું મંગલમય યોગ Jain Education International ૫૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy