SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માપણું આત્મા જ પામે છે. રાગની સંતતિ છે માયા અને લોભ, વેષની સંતતિ છે ક્રોધ અને માન, અથવા રાગ એટલે મમતા અને દ્વેષ એટલે અહંતા છે. આ રાગ દ્વેષને ઉપર ઉપરથી શાંત કરી દેવાથી નહિ ચાલે, તેને તો તેની સંતતિ સાથે દેશનિકાલ કરવો પડશે તેમ કરવામાં જો તે માથું ઊંચકે તો તેનો મૂળમાંથી નાશ કરવો. સાધુજનોને આમ તો કોઈ શત્રુ હોતો નથી. છતાં અંતરમાં છુપાઈને રહેલા આ શત્રુઓનો નાશ તેમને કરવો પડે છે. તેમ કરીને તેઓ જંપે છે. ' રાગ-મમતા-મમત્વ વાસનાજન્ય છે. જે પદાર્થો પ્રત્યે આકર્ષણ થયું તે સર્વ પદાર્થો મારા છે તેવી મૂછને તે કંઠે બાંધીને ફરે છે. દ્રષ-અહંકાર-અહંતા, હું કંઈક છું, મારું ધાર્યું થવું જોઈએ, મને ગમે તે મળવું જોઈએ, આવા અહંકારથી તે ફૂલ્યો ફરે છે. આ રાગદ્વેષના સંસ્કારો કેન્સરના સેલ જેવા છે. કેન્સરનો ભાગ કાપી નાંખવા છતાં તેના એક બે સેલ છૂટા પડી રહી ગયા હોય તો વળી પાછું કેન્સર ફેલાઈ જાય છે. તેમ રાગાદિ સંસ્કારો રહી જાય તો કેટલુંયે તપ તપે, ક્રિયા કલાપ કરે, જ્ઞાન ધ્યાનની ધૂણી ધખાવે, પણ પેલા સંસ્કારોના એક બે સેલ જીવની ધખેલી ધૂણીને પણ ઠારી દે છે. ક્રોધાદિ ચાર કષાયો સાથે નવ નોકષાયોનો યૂહ પણ ગોઠવાઈ જાય છે, મૂળ રોગમાં બીજા નાના રોગની જેમ તે પણ પીડા આપનારા છે. સામ્યભાવ એ જ આ શત્રુઓને દૂર કરવાનો ઉપાય છે. સામ્યભાવમાં સ્થિર થયેલો આત્મા આ શત્રુઓને ક્ષણમાત્રમાં હરાવી પોતાના પરમાત્મપદમાં લીન થઈ જાય છે. स तावद् देहिनां भिन्नः सम्यग यावत्र लक्ष्यते । लक्षितस्तु भजत्यैक्यं रागायञ्जनमार्जनात् ॥ १४ ॥ ભાવાર્થ ? પરમાત્મા ત્યાં સુધી જ પ્રાણીઓને પોતાથી ભિન્ન ભાસે છે કે જ્યાં સુધી તે તેને સારી રીતે ઓળખતાં નથી. પણ રાગાદિ મળના નાશથી ઓળખાયેલા તે તેમની સાથે ઐક્યથી ભજે છે. ૧૪ મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy