SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કાલે શું થશે ? આ ધનાદિનું રક્ષણ કેમ કરવું ? પરિવારમાં કોઈની . હાનિ થશે તો ? શરીરની વેદના કેમ સહન થશે ? વ્યાપાર ધંધો, પ્રસંગો વગરે નિર્વિને થશે કે નહિ? અને મરી જઈશ તો શું થશે ? આ ઉપરાંત દેશકાળનો ભય, વન-જંગલનો ભય, જીવનનિર્વાહનો ભય વગેરેથી ઘણા પ્રકારે ભયભીત છતાં માનવી સંસારમાં નિરાંતે હરેફરે છે. - પુરુષને સ્ત્રીનું આકર્ષણ, સ્ત્રીને પુરુષનું આકર્ષણ અને નપુંસકને બંનેનું આકર્ષણ પેદા થઈ ભોગની વૃત્તિ જાગે છે. ત્યારે પ્રાણી વિવશ થઈ તે કામના પૂરી કરવા પ્રવૃત્ત થાય છે. તે માટે ઘણી વ્યાકુળતા સેવે છે. તે તેના દુઃખનું કારણ છે. આ પ્રમાણે કષાયોની તીવ્રતા ઘટ્યા પછી પણ નોકષાય છૂટતા નથી. તેને ધીરજપૂર્વક દૂર કરવા જોઈએ. કષાય કે નોકષાય એ સર્વથી મુક્ત થવા સમ્યજ્ઞાન સહિતના પ્રશમ ગુણ એ સાચો ઉપાય છે. તત્ત્વજ્ઞાનીને પરપદાર્થનું મમત્વ ન હોવાથી કષાયથી મુક્ત થઈ તેઓ નોકષાયને ઘેર્યથી હણે છે. रागद्वेषमयेष्वेषु हतेष्वान्तरवैरिषु । • साम्ये सुनिश्चले यायादात्मैव परमात्मताम् ॥ १३ ॥ ભાવાર્થ : એ રાગદ્વેષમય (કષાય નોકષાય) આંતરશત્રુઓનો નાશ થતાં જ્યારે સામ્ય સ્થિર થાય છે, ત્યારે આત્મા જ પરમાત્માને પામે છે. વિવેચનઃ જ્ઞાનીજનો કહે છે કે હે સુભટો, તમે બહાર શું લડો છો ? તે શત્રુઓને મારવાથી તમે પાપમાં પડો છો. માટે તમારે સંગ્રામ ખેલવો છે તો તમારામાં રહેલા તમારા આંતરશત્રુ રાગાદિ સાથે સંગ્રામ કરો. તે હણાશે અને તમને પાપ નહિ લાગે. પણ તમે મુક્તિ પામશો. તમે પરમસુખસ્વરૂપ એવા પરમાત્મપદને ચાહતા હો તો તેને બાધ કરનારા આંતરશત્રુઓને દૂર કરો. આત્માને મલિન કરનારા રાગદ્વેષનો નાશ થતાં આત્મામાં રહેલો સામ્યગુણ કાર્યશીલ બને છે. ક્રમે કરી તે સહજપણે સ્થિર થાય છે ત્યારે મંગલમય યોગ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy