SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પાળી ન શકે. આમ અન્યને ઉપદેશ આપવો સહેલો છે. સંયમમાં સુખ છે. એમ પ્રવચનમાં કહેવું સરળ છે, પરંતુ પોતાને સંયમ પાળવો દુષ્કર છે. વ્રતાદિના કેવા લાભ છે, નવકારશી કરો, પુણ્ય થશે. દાન કરો દેવલોકનાં સુખ મળશે. અરે એક વાર સર્વવિરતી લો અહીં કષ્ટ ભોગવવું પડશે પણ પરિણામે સ્વર્ગના સુખની પ્રાપ્તિ થશે. માટે પુણ્ય કરો અને સુખ મેળવો, વળી તેવા પુણ્ય માટે વિવિધ બાહ્ય ક્રિયાઓ કરાવી જીવોને ધર્માચરણનો ઉપદેશ કર્યાનો સંતોષ માનશે. પરંતુ આત્મહિત થાય તેવો શુદ્ધ ધર્મ આચરવો ઉપદેશ આપવા કરતાં પણ મુનિને માટે કઠણ છે. કારણ કે કેવળ આત્મહિતરૂપ શુદ્ધધર્મ અસંગતામાં છે. પ્રારંભની ભૂમિકામાં બાહ્ય સંયમનો ઉપદેશ એટલા માટે આપ્યો કે ત્યાં નિરંતર સત્સંગ કે સદ્દગુરુની નિશ્રા મળે અને જીવમાં રહેલા સંસારભાવના સંસ્કાર છૂટી જાય અને અસંગતા કે વૈરાગ્ય તીવ્ર બને. ધર્મોપદેશ આપવો સહેલો છે, બાહ્ય ધર્માચરણ કરવું સહેલું છે, એમાં માનાદિની મીઠાશ પણ હોય છે. પરંતુ આત્મહિત માટે એકાંતે ધર્મ આરાધવો કઠણ છે, જેમાં કેવળ મન:શુદ્ધિની જ અને અંતરંગ સંયમની જ મુખ્યતા હોય બાહ્યાડંબર ન હોય. પોતાનાં વ્રતાદિ કોઈ જાણે નહિ તેમાં જીવને રુચતું નથી, તેથી ટકતો નથી. શુદ્ધ દર્શનાદિ ધર્મનું પાલન કરવું, વૈરાગ્યની તીવ્રતા ટકાવવી, લોકથી અસંગ થવું, પોતાના સ્વરૂપમાં ટકવું અને કેવળ આત્મહિતનું અનુસંધાન હોય, તેવી એકાંત સાધના કરવી મુનિઓ માટે પણ દુષ્કર છે. यदा दुःखं सुखत्वेन दुःखत्वेन सुखं यदा । मुनित्ति तदा तस्य मोक्षलक्ष्मीः स्वयंवरा ॥ १८७ । ભાવાર્થ : મુનિ જ્યારે વ્રત આદિના દુઃખોને સુખરૂપે અને વિષયો આદિ સુખને દુઃખરૂપે જાણે છે. ત્યારે તેને મોક્ષરૂપી લક્ષ્મી સ્વયે વરે છે. વિવેચન : જે વ્રતાદિથી મોક્ષ પ્રગટ થાય તેવા વ્રતાદિનું સ્વરૂપ ૧૮૬ Jain Education International મંગલમય યોગ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy