SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિનો સંસ્કાર અન્ય જન્મમાં સાથે લઈ જઈ જન્મો સુધી માયામાં ફસાય છે. તેથી જાણે કે માયાએ તે જીવ સાથે અમરપણું પ્રાપ્ત કર્યું હોય તેમ રહે છે. પુનઃ માનવજન્મ પામવો અત્યંતપણે તેને દુષ્કર બને છે. મમ્મણ શેઠે લોભવશ લાકડાના બળદને હીરા-માણેકથી મઢી દેવા ખૂબ આકરો પરિશ્રમ કર્યો. એ બળદ તેને કોઈ સુખનું કારણ ન હોવા છતાં માયાએ તેને એવો ફસાવ્યો કે પૂરી જિંદગી તેણે બળદને મઢવામાં ગાળી, કેમ જાણે એ એક મોટો આદર્શ હોય તેમ એ જીવનમાં પ્રાપ્ત સુખને જતાં કરી એક ધૂન પર સવાર થઈ ગયો. આયુષ્ય પૂરું થતાં ફળ સ્વરૂપે અધોગતિ પામ્યો, હીરા કે હીરે મઢેલો બળદ તે સાથે લઈ શક્યો નહિ, પરંતુ તેને માટે કરેલી આસક્તિ-લોભે તેને મહાદુઃખમાં ધકેલી દીધો. માટે જો તમે તમારું હિત ચાહતા હો તો લોભને વહેલી તકે વિદાય આપજો. લોભ એ માનવરૂપી મદોન્મત્ત હાથીને માટે મદિરા સમાન છે, સંસ્કાર એ બળવાન પદાર્થ છે. હાથીની પ્રકૃતિમાં માનની વિશેષતા હોય છે, તેમાં પણ જો તેને મદિરા પીવરાવવામાં આવે તો તે પૂરો છકી જાય છે. જંગલના વૃક્ષોને પણ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. તેને વશ કરવો તે દુ:સાહસ છે. એમ લોભને પનારે પડેલો બુદ્ધિમાન મનુષ્ય પણ વિવશ બને છે. નશીલા માનવને પોતાના મનુષ્યત્વનું, પરિવારનું, સુખનું જેમ ભાન નથી તેમ લોભના નશામાં મનુષ્યને પોતાના સુખનો નાશ થઈ રહ્યો છે તેનું ભાન નથી. આથી સર્વ દોષનો જનક લોભ છે. સર્વ દોષનું મૂળ લોભ છે. સર્વ પાપોના સેવનનું સ્થાન લોભ છે. સર્વ ગુણોનો નાશ કરનાર લોભ છે. અર્થાત્ લોભી ક્યારેય સુખ પામતો નથી. પણ નશાયુક્ત માનવની જેમ તે લોભવશ પોતાના માનવકુળને ભૂલે છે, ઉત્તમ એવા આત્માર્થને ભૂલે છે, સુખનું સાધન એવા સંતોષને ત્યજી દે ૧૬૦ મંગલમય યોગ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy