SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વાર મેળવવા માનો બા ૬ જેટલું અને તેમાં અસત્ય તથા અહમ્ કેટલાં ભળ્યાં છે ? તારું શરીર વગર જરૂરે ક્યાં ક્યાં ફર્યું અને કેટલી વાર વગર ફોગટની હાથપગની ચેષ્ટાઓ કરી ? એ સઘળું નિરર્થક અને નિંદનીય છતાં અજ્ઞાનવશ તું કરતો આવ્યો છું. બાળપણની ચેષ્ટાઓ યુવાની થતાં વ્યર્થ જણાય છે. બાળવયનાં વસ્ત્રો યુવાનીમાં કામ લાગતાં નથી. બાળપણમાં તું રમકડાં મેળવવા રડતો હતો. યુવાનીમાં તે પરિવાર મેળવવા ઘણું મથ્યો. વૃદ્ધાવસ્થામાં તને ઘણાં અરમાનો બાકી રહ્યા તેની મથામણ થશે. સિંધુના એક બિંદુ જેટલું પણ જ્ઞાન ન હોવા છતાં પંડિતપણાના ગર્વમાં તું જન્મથી આજ સુધી અજ્ઞાનમય ચેષ્ટાઓ કરતો જ રહ્યો. છતાં તને કંઈ સંકોચ થયો નહિ ! સામાન્ય મનુષ્યો પણ જે ચેષ્ટાઓ ન કરે તેવી શોચનીય ચેષ્ટાઓ તું કરતો રહ્યો છતાં તું તને પંડિત માનવાનો ગર્વ છોડી ન શક્યો. એવો દિશામૂઢ થયેલા તને શું મળશે ? સાંસારિક સુખ પણ પુણ્યશાળીને પ્રાપ્ત થાય છે, તારી આવી અવદશા થવાનું કારણ તારી પોતાની જ દુર્જનતા છે, માટે તે ત્યજી દે અને સત્ત્વશીલ બનજે. निरुन्ध्याचित्तदुर्थ्यानं निरुन्ध्यादयतं वचः। निरुन्थ्यात् कायचापल्यं तत्त्वतल्लीनमानसः ॥ १६३ ॥ ભાવાર્થ : તત્ત્વમાં તલ્લીન મનવાળા આત્માએ ચિત્તનું દુર્ગાન, વચનનો અસંયમ તથા કાયાની ચંપલતાનો વિરોધ કરવો જોઈએ. વિવેચન : હે સુજ્ઞ ! તું નિર્વાણદશાનો અભિલાષી હોય તો તું એમ ધારણા કરજે કે નિર્વાણ સમયે સહજ બનતા યોગનિરોધનો તારે આજથી જ અભ્યાસ કરવો જોઈએ. જીવની જે જે આધ્યાત્મિક દશાઓ છે તે દરેકનો તે દશા પહેલાં અભ્યાસ હોય છે. વળી જેમને તત્ત્વમાં મનને જોડવું છે તેણે ગુપ્તિનો અભ્યાસ અત્યંત જરૂરી સૌ પ્રથમ જગતના કોઈ પદાર્થના સંયોગવિયોગમાં ઈષ્ટાનિષ્ટનું ચિંતન કરી દુર્ગાન કરવું નહિ. અન્યને વિષે કોઈ વિકલ્પો કરવા મંગલમય યોગ ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy