SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ इष्टानिष्टेषु भावेषु सदा व्यग्रं मनो मुनिः । सम्यङ् निश्चयतत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ॥ १५९ ॥ ભાવાર્થ : નિશ્ચયપૂર્વક તત્ત્વને જાણનાર એવો સાત્ત્વિક મુનિ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં હંમેશાં વ્યગ્ર થતાં એવા મનને સારી રીતે સ્થિર કરે. - વિવેચન : તત્ત્વના શુદ્ધ સ્વરૂપને જાણનાર મુનિ ઈષ્ટ-અનિષ્ટ પાદાર્થોમાં શુભાશુભ ભાવ કરતો નથી. નિશ્ચય દૃષ્ટિથી મુનિ જાણે છે કે વિશ્વમાં કોઈ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ નથી. પદાર્થમાત્ર સ્વદ્રવ્યમાં પરિણમન કરે છે તેમાં અન્યને ઈષ્ટ કે અનિષ્ટ થવાપણું નથી. નિશ્ચય દૃષ્ટિથી જોતાં એક દ્રવ્ય બીજા દેવ્યમાં ભળતું નથી કે પરપરિણમન કરતું નથી તો પછી તેમાં ઈષ્ટાનિષ્ટપણું કેમ સંભવે ? પરંતુ મનનો દીર્ઘકાળનો સંસ્કાર પદાર્થમાં ઈનિષ્ટપણું કરી વ્યગ્ર થવાનો છે, વળી શરીર ઈન્દ્રિયાદિના સંયોગમાં તે સંસ્કાર જાગૃત થઈ પદાર્થોમાં શુભાશુભ ભાવ કરી વ્યગ્ર થાય ત્યારે મુનિ એ મનને સંયમાદિના બળ વડે આત્મભાવમાં સ્થિર કરે છે. ભાગતા વાછરડાને દોરડા વડે ખીલે બાંધી દે છે, તેમ મુનિ મનને સંયમના દોરડા વડે આત્મ સ્વરૂપમાં જોડી દે છે. ચિત્તશુદ્ધિ સિવાય એકાગ્રતા થતી નથી. આજે ધ્યાનના ઘણા પ્રકાર ચાલે છે, તેમાં એકાગ્રતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવે છે. પણ ચિત્તની શુદ્ધિ વગર સ્થિરતા લાવવી અશક્ય છે. શુદ્ધિ વગર એકાગ્રતા મનુષ્યને વિકારી બનાવશે. માટે પ્રથમ, યમ, નિયમ, તપ સંયમ વગેરે દ્વારા ચિત્તનું શોધન કરવું પછી ચિત્ત સહજ સ્થિરતા પામશે. अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् । भुजानानां हि जीवानां हर्ता कर्ता न कश्चन ॥ १६० ॥ ભાવાર્થ ? જીવ પોતપોતાના કર્મના ફળના ઉદયને (તે પછી અશુભ હો યા શુભ હો) ભોગવે છે, અને તેને કરનારો કે નાશ કરનારો નથી. ૧૪૨ મંગલમય યોગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy