SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દરિદ્રી પાસે તમને શું મળશે ? प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः । इन्द्राद्रयोऽपि ते रंकप्रायः स्युः किमुतापराः ? ॥ १४१ ॥ ભાવાર્થ : જેની આત્યંતર વૃત્તિઓ શાંત થઈ છે. જેને કોઈ સ્પૃહા નથી. અને જે સદા આનંદમાં મગ્ન છે, તેવા યોગી આગળ ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે. તો બીજાઓની તો વાત જ શી ? વિવેચન : સાચા અર્થાત્ ભાવયોગી કેવા હોય ? તે કહે છે, જેણે બહારમાં તો સર્વ ત્યાગ કર્યો છે. પરંતુ તેમની અંતરંગ વૃત્તિઓ પણ શાંત થઈ છે તે યોગી છે. દંભ, છળ, કપટ, લોભ, જનસમૂહમાં કંઈ પણ અપેક્ષા જેવા દોષો જેનામાં નષ્ટ થયા છે. જેને કંઈ પણ બહારમાં મેળવવાનું નથી તેવા યોગી સદા સ્વાનુભૂતિયુક્ત આનંદમાં મગ્ન હોય છે. આ યોગીને ઇન્દ્રાદિ પણ વંદે છે. યોગીના આંતરિક વૈભવ પાસે ઈન્દ્રનો વૈભવ તુચ્છ જણાય છે. જંગલના એકાંતમાં રહેતા શીત અને ઉષ્ણ પરિસ્થિતિમાં વસ્ત્રાદિ સાધન રહિત, આહારના સ્વાદિષ્ટ પદાર્થો રહિત, અન્ય સુખદ સામગ્રી રહિત યોગીને શાના વડે સુખ હશે ? એવું શું બળ તેમની પાસે છે કે સઘળી પ્રતિકૂળતા છતાં તેઓ સદા આનંદમાં મગ્ન હોય છે ! જેણે જગતમાં ઇન્દ્રિયોના કોઈ સુખ-સાધનની જરૂર નથી એટલે તેના સંગ્રહની ચિંતા નથી, પરાધીનતા નથી. ભૌતિક પદાર્થ રહિત અંતરંગ શુદ્ધિનો આનંદ અખ્ખલિત વહેતો હોય તેવા યોગીને સદા આનંદ હોય છે. પ્રથમ તીર્થકર તથા અંતિમ તીર્થકર દિગંબર અવસ્થામાં હતા, મુગટ આદિની ઉપાધિરહિત હતા, છતાં તેમના ચરણમાં ચક્રવર્તીઓ ઝૂકતા હતા. કારણ કે તે તીર્થંકરાદિ પાસે આત્મ ઐશ્વર્ય હતું. તેથી ઈન્દ્રાદિ પણ તેમના ચરણમાં વાસ ઈચ્છતા હતા. किं विभुत्वेन किं भोगैः किं सौंन्दर्येण किं श्रिया । किं जीवितेन जीवानां दुःखं चेत् प्रगुणं पुरः ॥ १४२ ॥ ભાવાર્થ ? જો આગળ દુઃખ આવવાનું નક્કી હોય તો જીવોને મંગલમય યોગ Jain Education International ૧૨૦ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy