SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ત કોઈને કોઈ વિષયની માંગ કરે છે, તેમાં પણ સ્પર્શસુખને ત્યજવું, તેનો નિગ્રહ કરવો મુનિવર સિવાય અન્ય કોઈથી આ બનવું શક્ય નથી. તેમાં પણ અતિ બળવાન તેવી કામવાસનાને જીતી લેવી તે તો મહામુનિઓ જ કરી શકે છે. વિવેચન : પંચમહાવ્રત્તમાં બ્રહ્મચર્યવ્રત દુષ્કર મનાયું છે. અનાદિકાળથી જીવે દેહવાસનાને પોષણ આપ્યું છે. તેનો સંસ્કાર એવો દૃઢ છે કે તે વિષયભોગ પાસે જીવને નચાવે છે. કોઈ વીરલા જીવો જ આ બ્રહ્મચર્યને સાધ્ય કરી શક્યા છે. મોટા રાવણ જેવા નરપુંગવો પણ કામ પાસે રાંક થઈને રહ્યા છે. રૂપ પ્રત્યેના આકર્ષણમાં વીરોએ પણ પોતાનું નૂર ગુમાવી દીધું છે. દીર્ઘકાળના તપસ્વીને પણ આ કામદેવ પરાજય આપે છે. ગુરુકૃપા વડે જ આવા કામથી પ્રભાવિત ચિત્તનો નિરોધ થઈ શકે છે. મુનિ એટલે મોક્ષાર્થી. મોક્ષાર્થી એટલે મોક્ષને પ્રયોજનભૂત જેની ચિત્તવૃત્તિઓ નિરાબાધપણે રહે છે. વિષયોના અંકુરો તો તેણે મૂળમાંથી દૂર કર્યા છે. કષાય ઉપર જેમણે વિજય મેળવ્યો છે. તેના મૂળમાં તેમની ચિત્તવૃત્તિ નિરોધ યોગની સાધના છે. ત્રણ ખંડ જીતવા વાસુદેવ માટે સહેલા છે. પુણ્યપ્રતાપે છ ખંડના અધિપતિ થવું ચક્રવર્તી માટે સરળ છે, પરંતુ આ નપુંસક એવા ચિત્તનો તેમાં ઊઠતી વૃત્તિઓનો નિગ્રહ કરવો કઠિન છે પરંતુ મુનિજનો તો સુભટની જેમ રણમેદાને પડ્યા છે. જગતના પ્રલોભનોથી મુક્ત છે તે મુનિવરો ચિત્તનો નિગ્રહ કરી ચિત્તને ચૈતન્યસ્વરૂપમાં જોડી દે છે. मुनयोऽपि यतस्तेन विवशीकृतचेतसः । घोरे भवान्धकूपेऽस्मिन् पतित्वा यान्त्यधस्तलम् ॥ १२५ ॥ ભાવાર્થ : કારણ કે કામથી વિવશ થયું છે જેનું ચિત્ત એવા મુનિઓ પણ આ ભયંકર સંસારરૂપી અંધકૂપમાં પડી છેક તળિયે પહોંચી જાય છે. વિવેચન : દેહવાસના ઘણી ભૂંડી છે, ભલભલા નરપુંગવો પણ ૧૧૬ Jain Education International For Private & Personal Use Only મંગલમય યોગ www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy