SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી પણ દુઃખે કરી જીતી શકાય છે, અને પરિષહ કે ઉપસર્ગ તો ઘણા સાહસ વડે જીતી શકાય છે. કારણ કે પરિષહો પ્રાયઃ બાહ્ય વિનોરૂપે હોય છે. ઉપસર્ગો અન્ય દ્વારા ટ્રેષના કારણે હોય વિષયો શા માટે દુઃસહ છે ? જગત તો વિષયોમાં ડૂબેલું છે. રોજ નવા નવા વિષયો મેળવવા ઘણો પરિશ્રમ ઉઠાવે છે. વિષયોની માંગ પૂરી ન થાય તો આકુળ થાય છે, ઘડીકમાં તેને વિષય કામના પડે છે, તે પૂરી કરે ન કરે ત્યાં તો રસના સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, અને ધ્રાણેન્દ્રિય નવા સુગંધી પદાર્થો માંગે છે, એમ કરતાં કંઈ નિરાંતે બેસવાનું મળે ત્યાં તો શ્રવણની માંગ ઊભી થાય છે. સુરીલા સંગીત સાંભળવા તે તલસે છે. એવા વિષયોના તલસાટથી છૂટવું ખરેખર દુઃસહ છે. વળી વિષયોની માંગ પૂરી કરવા માટે તૃષ્ણા, લોભ માયા જેવા કષાયો મનને ઘેરી વળે છે. એ કષાયોને જીતવા ઘણા દુઃસહ છે. તેમાં વળી સુધા, તૃષા અને સર્વ પરિસ્થિતિમાં સમભાવે રહી પરિષદોને જીતવા દુસહ દુઃસહ છે. તેમાં વળી કોઈ પૂર્વના પ્રારબ્ધ શરીરને યાતના પહોંચે, કોઈ પશુઓ પીડા આપે, કોઈ દુર્જન શરીરને છેદી નાંખે ત્યારે દેહાધ્યાસ ત્યજી મહાવીરની જેમ ઉપસર્ગોને સહી લેવા અત્યંત દુઃસહ છે. તપાદિ દ્વારા જે મુનિઓ કાયા ઉપર સંયમ કેળવે છે, દેહને આત્મપણે માનતા નથી. દેહનું પૂર્ણ પ્રકારે મમત્વ ત્યજે છે, તે જ આવા પરિષદો અને ઉપસર્ગોથી વિજય પ્રાપ્ત કરે છે. जगत्त्रयैकमलच कामः केन विजीयते । मुनिवीरं विना कंचिचित्तनिग्रहकारिणम् ॥ १२४ ॥ ભાવાર્થ : ચિત્તનો નિગ્રહ કરનાર કોઈ મુનિવર વિના ત્રણ જગતમાં અદ્વિતીય મલસમાન કામ કોનાથી જીતી શકાય ? અતિ ચંચળ એવા ચિત્તનો વિરોધ કરવો દુષ્કર છે. દરેક પળે મંગલમય યોગ ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy