SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં સુધી ગુરુ વચન, શાસ્ત્રબોધ અને શુભ ભાવનાઓ ટકે છે. વિવેચન : આ સમસ્ત વિશ્વમાં પ્રાણી પ્રાયઃ વિષયોથી વ્યાકુળ હોય છે. ક્યાં તો કષાયોથી પીડિત હોય છે. યદ્યપિ જ્યાં સુધી પુણ્યયોગે સંસારમાં જીવનવ્યવસ્થા નભે છે ત્યાં સુધી પોતે તો જાણતો જ નથી કે તેને આવી કોઈ વ્યાકુળતા કે પીડા છે. શારીરિક કે આર્થિક વિઘ્નો સમયે કથંચિત તે વ્યાકુળતા અનુભવે તોપણ તેમાં વાસ્તવિક રીતે તેનું કારણ જાણતો નથી. પરંતુ વિષયોથી વિવિધ માંગ તેના મનને અત્યંત અસ્થિર કરે છે. ક્રોધાદિ કષાયો તો વળી તેના ચિત્તને અત્યંત ચંચળ કરે છે. વિકલ્પોની વણઝાર ઊઠે છે ત્યારે તે વિવશ બને છે. આવી વિવશતામાં જો તેને કોઈ સદ્દગુરુનો યોગ મળે તેમનાં વચનોને બોધ સ્વરૂપે સ્વીકારે, તેમની આજ્ઞામાં રહે, તેમની ત્રિવિધ સેવા કરે, તેમના પ્રત્યે અત્યંત આદર રાખે તો મન વિષયો કે કષાયોથી વિમુખ થઈ તેને સ્થાને તેની શુભ ભાવનાઓ ટકે છે. વળી સદ્ગુરુનો યોગ નિરંતર ન બને ત્યારે તેને સત્શાસ્ત્રોનો બોધ સહાય કરે છે, સદ્ગુરુના વચનમાં પ્રતીતિ લાવે છે, શાસ્ત્રબોધને પ્રભુવચન પ્રમાણ માની તેનાં રહસ્યોનું ચિંતન-મનન કરે છે. તેથી શુભ ભાવનાઓ ટકે છે. સવિશેષ જો તે વિષયોની પાછળ ભમતો નથી કે તે મેળવવામાં સમય ગુમાવતો નથી, તેને બદલે મનને શુભ ક્રિયામાં કે શાસ્ત્ર અધ્યયનમાં જોડેલું રાખે તો શુભ ભાવનાઓ ટકે છે. કષાયોની મંદતા થતાં તેને શાસ્ત્રબોધ પરિણામ પામે છે, ગુણોની વૃદ્ધિ થાય છે ત્યારે શુભ ભાવનાઓ ટકે છે. कषायविषयग्रामे धावन्तमतिदुर्जयम् । ચઃ સ્વમેવ નય ત વીતિનઃ સુતઃ | ૧૨૦ || ભાવાર્થ : કષાય અને વિષયોના સમૂહ તરફ દોડતા અતિ દુર્જય એક પોતાને જ જીતે છે તે વિરોમાં તિલક સમાન પુરુષ ક્યાં ? વિવેચન : સંસારમાં પ્રાણી માત્ર કષાય અને વિષયોથી પરાભવ મંગલમય યોગ ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy