SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાશે. જેની સત્તાથી તારું તંત્ર ચાલે છે તેના તરફ તારું ધ્યાન નથી. અને જે કેવળ શબવત છે તેના તરફ તારી દૃષ્ટિ છે. ભગવાનની આજ્ઞા છે કે તું સર્વમાં સમદષ્ટિ રાખ, અને તું ઘર-કુટુંબની ચાર વ્યક્તિમાં પણ સમભાવ રાખી શકતો નથી ? અને તેઓ કંઈ તારાથી રીઝવાના નથી માટે સત્ દેવાદિ પ્રત્યે આદર રાખ. તેમની આજ્ઞામાં રહે, તેમને મન, વચન કાયાથી અર્પણ થા, તેઓના નિ:સ્પૃહતાવાળા બોધવચનો તારા કર્મોને નાશ કરી, તને સાચા સુખ પ્રત્યે લઈ જશે, માટે તેઓને સંતુષ્ટ કરવા તેમાં સુખ છે. असदाचारिणः प्रायो लोकाः कालानुभावतः । द्वेषस्तेषु न कर्तव्यः संविभाव्य भवस्थितिम् ॥ ११२ ॥ ભાવાર્થ : કાલના પ્રભાવથી લોકો પ્રાયઃ સદાચારરહિત હોય છે, તેથી સંસારની સ્થિતિનો વિચાર કરીને તે લોકો પ્રત્યે દ્વેષ ન કરવો જોઈએ. વિવેચન : લોકસ્થિતિ પ્રમાણે આ પંચમકાળ-દુષમકાળ કહેવાય છે. આમ તો ભૌતિક જગતમાં ભૌતિક સાધનોની વિપુલતા થઈ છે. ચારે દિશામાં વર્ણાદિના પુદ્ગલના પડઘમ વાગી રહ્યા છે. તેમાં મોહનીય કર્મની વિશેષતા હોવાથી જીવો પૌલિક સુખ માટે સદાચાર જેવા ગુણોને ત્યજી દે છે. પરપદાર્થમાં સુખ બુદ્ધિ કરીને જીવોએ હિંસા-અહિંસા, મૈત્રી-અમૈત્રી કે સત્યાસત્ય જેવો વિવેક ત્યજી દીધો છે. જો કંઈ ધનનો વિશેષ લાભ મળતો હોય તો ચોરી જેવા કૃત્યાકૃત્યનો વિવેક ત્યજી દીધો છે. પુત્ર પરિવારના મોહ ખાતર ધનની મૂછમાં વૃદ્ધિ કરે છે. ભક્ષ્યાભઢ્યની બુદ્ધિનો પણ કોઈ વાર ત્યાગ કરે છે, આમ સદાચારરહિત લોકોની અજ્ઞાનતાનો વિચાર કરી તેમના પ્રત્યે દ્વેષ ન કરવો. જગતના જીવો ઉદય કર્મને આધીન વર્તે છે. અજ્ઞાનવશ તેઓ જાણતા નથી કે તેઓ જીવનરૂપી જે ડાળ પર બેઠા છે તે ડાળને અસદાચાર વડે કાપી રહ્યા છે. પરિણામે દુઃખ પામવાના છે. દુઃખ પામતા જીવો પર તેમને વધુ દુઃખ પહોંચાડવા સુજ્ઞજનો તેમના મંગલમય યોગા Jain Education International ૧૦૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy