SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. વળી રાગાદિભાવના મૂળમાં મોહ હોવાથી તે તમને દોષ સહિત નિરાંતે સૂવા અને જમવા દે છે. કોઈ યોગાનુયોગ વિવેકદૃષ્ટિ જાગૃત થતાં તે દોષો ભાગે છે. નહિ તો એ દોષો સ્વયં અજગરની જેમ તમારા જીવનને ગળી જાય છે. તમારી સજ્જનતાની તે હાંસી ઉડાવે છે. બહારમાં દેખાતી સજ્જનતા, અંતરંગ ઈર્ષા જેવી દુર્જનતાથી ભરપૂર હોય છે. આમ માંડ શ્રેષ્ઠ જીવનનું પુણ્ય પ્રગટે છે ત્યાં અવિવેક તેને સ્વાહા કરી જાય છે. માટે સત્સંગના યોગ વડે વિવેકને ધારણ કરવો, અને દોષરૂપ ઝેર-સર્પથી દૂર રહેવું. दुर्विजेया दुरुच्छेद्या एतेऽभ्यन्तरखैरिणः । उत्तिष्ठमाना एवातो रक्षणीयाः प्रयत्नतः ॥ ९७ ॥ ભાવાર્થ : આ ઉપર કહ્યા તે આંતર શત્રુઓ દુઃખે કરીને જીતાય તેવા છે. દુઃખે કરીને નાશ કરાય તેવા છે. તેથી તે આંતરશત્રુઓને ઊભા થતાં જ પ્રયત્નપૂર્વક દાબી દેવા જોઈએ. વિવેચન : પોતાના જ કરેલા વેરઝેરના પરિણામે બહારના શત્રુઓનો ભેટો થાય છે. ત્યારે જીવ તે શત્રુ પ્રત્યે પક્ષપાત કરતો નથી. વળી તેને જીતવા પ્રયત્ન કરે છે. અથવા તેનાથી દૂર રહે છે. મહદ્અંશે સુભટ કે બુદ્ધિમાન પણ આ અંતરંગ શત્રુઓને જાણતો નથી. કદાચ ક્રોધ જેવા પ્રગટ થતા અંતરંગ શત્રુને જાણે તોપણ તેમાં પોતાનો દોષ હોવાથી તે શત્રુ છે તેમ વિચારતો નથી. ક્રોધની સંતતિ જેવા માન, દ્રેષ, રાગ, વગેરે દોષરૂપી શત્રુઓને તો તે શત્રુ તરીકે સ્વીકારતો નથી કે તેને તેનો ભય નથી, આથી બહારના શત્રુઓને જીતવા કે દૂર કરવા જેટલા સહેલા છે તેટલા આ અંતરંગ શત્રુઓને જીતવા સહેલા નથી પણ કઠિન છે. બહારના શત્રુઓથી સજાગ મનુષ્ય આ શત્રુઓને શા માટે પોષણ આપે છે ? રાગાદિ અંતરંગ શત્રુઓ ઊધઈ જેવા છે. અંદર રહીને ફોલી નાંખે બહારમાં મોહનો પડદો અંદરની અવદશા જણાવા દેતો નથી, વળી આ રાગાદિનો સંસ્કાર ઘણા પુરાણાકાળનો છે, અને જો તેને જીતવામાં ન આવે તો તેના સંગનો અંત આવે તેમ મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy