________________
દેખાવમાં જનઉત્કર્ષ સમજાવે.
જેમ કે સાધુ પણ સમય આવ્યે વહાણમાં બેઠા હતા. અણિકાપુત્ર સાધ્વી પાસે સેવા લેતા હતા એમ માની સાધ્વીજનો પાસે વસ્ત્રોના કાપ કઢાવવા તે બહાને સંપર્ક કરવો. શિથિલાચારનું સેવન કરી સાધુવેશ દ્વારા આત્મવિકાસ કરવાનું વીસરી જાય છે. તેનાથી વધુ દુઃખદાયક શું હોઈ શકે?
સંસારના સુખનો ત્યાગ કરી સામાન્યજન માટે કષ્ટદાયક એવું સાધુપણું સ્વીકારવા છતાં આહારની સંજ્ઞા ત્યજવી કષ્ટદાયક છે. તપ કરવા છતાં સ્વાદ કરવો કઠિન છે. સ્પર્શમુખ અને સ્વાદનો રસ જિતાયો તે સાધુમાં પવિત્રતા પ્રગટે છે.
- એક સંન્યાસીને એક વાર મીઠી કઢીની ભિક્ષા મળી. કઢી. રસનાને ગમી ગઈ. સાધુ રોજે એ જ ઘેર જવા લાગ્યા. પેલી સ્ત્રી પણ ભાવથી રોજ કઢી બનાવતી. આમ રસના સાથે સ્ત્રીનો પણ સંપર્ક વધ્યો. પણ ગુરુકૃપાએ સંન્યાસી જાગૃત થઈ ગયા. કઢીનું વમન કરી પાછી પી ગયા અને કઢીના વિકૃત સ્વાદથી રસનાને સજા કરી ગામનો ત્યાગ કરી ગુરુ પાસે પહોંચી ગયા. પ્રાયશ્ચિત્ત લીધું. પરંતુ જો ગુરુકૃપા એ સમયે મળી ન હોત તો એક વાટકી કઢીમાં સાધુજીવન ડૂબી ગયું હોત.
આમ સ્પર્શ અને રસ જોડિયા આકર્ષક પદાર્થો છે. તેમાં રસનું પોષણ તો જીવને લલચાવીને મનાવી લે છે. ઘરઘરની ભિક્ષા ભેગી કરવી, દરેકના સ્વાદ જુદા હોય, દોષિત પણ હોય એ સર્વમાં કઠિનતા તો છે. પરંતુ જો જીવને અનુકૂળતા મળી જાય તો રસના આકર્ષણ પેદા કરે ત્યારે સાધુ સંયમ ન રાખી શકે તો તે એક વિડંબના જ છે.
કુગુરુની વાસના પાસમાં હરિણ પરિ જે પડ્યા લોક રે તેહને શરણ તુજ વિણ નહીં ટળવળે બાપડા ફોક રે.
- સ્વામી સીમંધર વિનતિ
૯૦ હૃદયપ્રદીપનાં અજવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org