SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ માટે છે, તેમાં પરિગ્રહનો દોષ ન લાગે. એક વાર સંસારનો ત્યાગ કર્યો, હવે જે કરીએ તે સંયમમાં ખપશે. મોહનીયકર્મ કેવું રૂપાંતર કરે છે. ત્યાગના વાઘામાં ધનનો લોભ ઉત્પન્ન કરી જીવને વિવશ બનાવે છે. એટલે સાધુ પણ સૂક્ષ્મ દોષને જાણતા નથી કે આ ધનની મૂછનું પાપ શ્રાવકને લાગે તેના કરતાં વિશેષ સાધુને લાગે છે. સાધ્વીનો જીવ ગરોળી થઈને ઠવણીને આંટો મારતો એ સર્વ ત્યાગીજનોને લાગુ પાડતું દૃષ્ટાંત છે. એ દૃષ્ટાંત કહેવા માત્રથી ધનની લોલુપતાનું પાપ ઢંકાતું નથી કે ધોવાતું નથી. જે સાધુજનોમાં રત્નત્રયરૂપ નિરવદ્ય આરાધના દઢ થઈ નથી તેઓમાં સૂક્ષ્મ દૃષ્ટિ હોતી નથી. એટલે પોતાની સ્વાર્થજનિત પ્રરૂપણા કરી, નવાં વિધિ-વિધાનો દર્શાવી પોતાની ઈચ્છાઓનું પોષણ કરે છે. પોતાના શિષ્યોને જ્ઞાનારાધનામાં જોડવાને બદલે પોતાની માન્યતાના પોષણનાં કાર્યો કરાવી સ્વ-પરનું અહિત કરતા હોય છે. મોહસત્તાને આધીન વર્લી મુનિઓ પણ ધન, માલ, સ્ત્રી પરિચય, વિવિધ આકર્ષક પદાર્થો મેળવવા પ્રયત્ન કરે છે. શિષ્યોમાં અને શ્રાવકોમાં એવી પ્રતિભા ઊભી કરે છે કે જાણે તેઓ ભક્તોના ભાવની પૂર્તિ કરી તેમને પુણ્ય ઉપાર્જન કરાવે છે. જેથી તેમને આ લોકમાં માન અને પરલોકમાં દેવલોકનાં સુખ મળશે તેવો લોભ પેદા કરાવે છે. આમ સાધુવેશ છતાં દ્રવ્ય પાસે રાખવું, રખાવવું તેમાં નરી આસક્તિનું સેવન થાય છે. તેના રક્ષણના વિકલ્પો ઊઠે, તે રીતે દાનાદિનો ઉપદેશ આપવો. આવી વિકલ્પાત્મક મલિનદશામાં સાધુજીવનનો સંયમ કે પવિત્રતા ક્યાં ટકે? વળી મોહની તીવ્રતાને કારણે સ્વદોષોનો બચાવ કરી ધર્મની દેશનાને પણ જિનવચનથી વિરુદ્ધ બદલી અર્થઘટન કરે અને શાસ્ત્રોનાં દૃષ્યતો ઉદાહરણો આપી ભક્તોને પોતાનો સ્વાર્થ છતાં હૃદયપ્રદીપનાં અજવાળાં ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy