________________
गृहीतलिङगस्य च चेद्धनाशा, गृहीतलिङगो विषयाभिलाषी । गृहीतलिङगो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ।। १९ ।।
ત્યાગી છતાં છે ધનની જ આશા, ત્યાગી છતાં હો વિષયાભિલાષા; ત્યાગી છતાં સ્વાદ ત્યજી શકે ના, એથી વધુ અન્ય વિડંબના ક્યાં? ૧૯
વેશ મુનિનો ધારણ કર્યો હોય, છતાં જો ધનની ઇચ્છા હોય વિષયોની અભિલાષા હોય કે તેને રસલોલુપતા હોય તો આનાથી મોટી વિડંબના કઈ હોઈ શકે ?
જીવમાં સૂક્ષ્મપણે રહેલા સંસ્કારો કેવી ભૂલ કરાવે છે? એ તો મોહનીયકર્મની અટપટી ચાલ છે. જુઓ તો ખરા, ધન માલ ત્યાગીને જેણે સાધુવેશ ધારણ કર્યો, પોતે ધન ન રાખે પણ અન્ય પ્રકારે રાખે, રખાવે, માલિકી ધરાવે અને નિષ્પરિગ્રહી એવા સ્વર્ગસ્થ ગુરુજનોના નામે લેવડદેવડનાં ખાતાં રાખે, અરિહંતના નામે ટ્રસ્ટ કરે, ધન બેંકમાં કે વ્યાપારીની પેઢીમાં હોય, સહી માટે આજ્ઞાંકિત શ્રાવક રાખે પણ ધનની વ્યવસ્થાની સત્તા પોતાની પાસે રાખે. મોહનીયની પ્રકૃતિ કેવું ભાન ભુલાવે કે આ તો જનઉત્કર્ષ
૮૮ હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org