________________
પરમોત્કૃષ્ટ, અચિંત્ય, સુખસ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવરૂપ છું. ત્યાં વિક્ષેપ શો / સુધાદિ વિકલ્પ શું? ભય કે ખેદ શો? મોહ શો ? હું શુદ્ધ પરમ શાંત ચૈતન્યસ્વરૂપ છું.
તેમાં પણ રતિસુખ, સ્પર્શ કે અબ્રહ્મના સેવનમાં વૃત્તિ/વિકારની બેમર્યાદા હોય છે. દઢ સંયમ વગર એ મનોવિકારને જીવ ત્યજી શકતો નથી. શારીરિકપણે થાકે તોપણ મન વડે નિરંતર કામને આધીન રહે છે. એ અબ્રહ્મવશ વિવેક ચૂકે છે. ભોગવે છે અને માને છે કે હવે ભોગ પૂરો થયો પણ તે તો વધુ જોરમાં ઉત્પન્ન થાય છે.
ક્રોધ કષાયના સાથીઓ માન-માયા-લોભ છે. ચારેનું એકમ છે. ક્રોધ વિશેષ ચેષ્ટા દ્વારા વ્યક્ત થાય છે. તેથી મનુષ્યને ક્રોધ જણાય છે પણ માન, માયા, લોભ જે છૂપા લૂંટારા જેવા છે. જીવ તેનાથી લૂંટાય છે છતાં ખુશ રહે તેવા તે લૂંટારા છે. ક્ષણમાત્રનો ક્રોધ સાધકે કરેલા તપ જપને પણ બાળીને ભસ્મ કરી નાંખે છે અને નીચી ગતિમાં પહોંચાડે છે.
વળી શારીરિક વિષયો અને કામવિકાર પળવાર ભોગનું સુખ મનાવી નવી નવી માંગ ઊભી કરે છે. આવાં પરાધીન સુખો પ્રત્યે મુનિઓ નજર પણ માંડતા નથી. | મુનિઓ માટે સ્વાધ્યાય આહાર છે. સમતા જળ છે જેના દ્વારા તેઓ ક્ષુધા તૃષાનો પરિહાર કરે છે. ભોગી પ્રતિકારને તૃપ્તિ માની ભ્રમ સેવે છે. ઇન્દ્રિયોના સુખને તેઓ દુઃખરૂપ માને છે અને ક્ષમા આદિ ગુણોનાં સુખોમાં મગ્ન રહી, અતીન્દ્રિય સુખના સ્વામી બને છે જ્યાં તેમને ઇન્દ્રિયના પરાધીન સુખની આકાંક્ષા જ ઊઠતી નથી.
મુનિજનો એટલે સમતારસનો સાગર. વિષયો તેમની પાસેથી કંઈ ઉત્તેજના ન મળવાથી નિરાશ થઈને સ્વયં પાછા વળે છે. જગતના જીવો માયામાં ફસાયા છે ત્યારે મુનિઓ તો તેના સ્વતંત્ર થઈ નિરબંધનપણું પામે છે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org