SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. ધનાદિનો નાશ થતો નથી. માટે વારંવાર સ્વતંત્ર એવા નિર્મમત્વ ભાવનું ચિંતન કરવું. “નિર્મમત્વભાવ દૃઢ થતાં જીવને યથાર્થ તત્ત્વદર્શન / સમ્યગ્દર્શન પ્રગટે છે. તેથી યથાર્થ આત્મસ્વરૂપની ઓળખ થતાં તે સ્વયં આત્મજ્ઞાની થાય છે.” ‘તત્ત્વજ્ઞાન તરંગિણી' મુનિને પારતંત્ર્ય ન હોય. શુદ્ધિની ક્ષણોમાં વિકલ્પ નહિવત્ હોય, સવા સો ગાથાના સ્તવનમાં હૃદયંગમ કડી છે ઃ નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો, નિર્વિકલ્પ ઉપયોગ, હવે કર્મનો બંધ નહિ, અને સાધકને કર્મના ઉદય કે ઉદીરણાનો તો વાંધો છે જ નહિ. કેમ કે અશાતા આદિ કર્મોનો દેખીતો ઉદય સાધક માટે નિર્જરામાં જ રૂપાંતિરત થાય છે. ક્રોધનો ઊભરો ઠાલવવો છે, બીજી વ્યક્તિ જોઈશે. ભૂખ લાગી છે, ખાદ્ય પદાર્થો જોઈશે. આમ બધા જ ઉપાયો પરાધીન છે. વળી તેમાં બીજી નબળાઈ છે, ક્ષણિકતાની. ક્રોધનો ઊભરો ઠાલવ્યો, એ શાંતિ કેટલી વાર ? ખાધું, તૃપ્તિ થઈ કેટલી વાર ? વળી ત્રીજી નબળાઈ છે. બે રોટલી ખાવા માણસને કેટલો પ્રયાસ કરવો પડે છે. આયાસજન્ય ઉપાયો પરાધીન છે. શાસ્ત્રીય, સાચા સ્વાધીન ઉપાય છે. ક્રોધની સામે ઉપશમ વગેરે.’’ જેની બુદ્ધિ જડ અને ચૈતન્યને ભિન્ન કરવામાં કુશળ છે એવા નિર્મળ બુદ્ધિવાળા સુજ્ઞજનો આહાર, નિહાર, પાન તેની ક્ષણિકતા વિચારે છે. ઇન્દ્રિયો અને કામવિકારનો જય કરતાં પણ વિશેષ શુદ્ધ ચિદ્રૂપ આત્માનું પ્રથમ સ્મરણ કરે છે. શીલ, તપ, વ્રત, સંયમ, દાનાદિ સર્વ કાર્યો કરતાં પણ મુનિ જ્ઞાની સ્વતંત્ર એવા શુદ્ધ ચિદ્રૂપ આત્માને જ ભાવે છે. મુનિ તો ચિંતવે છે કે હું તો સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. ક્ષુધાદિ ક્ષણિક અવસ્થાઓ છે. હું એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ૮૬ * હ્રદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy