SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આહારથી સુખ મળ્યું, સુધા શમી. જળથી કંઠને ઠંડક મળી, સુખ મળ્યું. જો તેમાં તૃપ્તિ હોત તો પુનઃ પુનઃ ક્ષુધા તૃષાની વૃત્તિ ન ઊઠે. અતૃપ્ત વસ્તુમાં સુખ કેવું? તૃપ્તિ કેવી? વળી પૂર્વે સેવેલા વિષયોના સંસ્કારોથી ઊઠતા વિકારો અને વર્તમાન જીવનમાં આહારાદિ વડે, બાહ્ય વિષયોનાં દશ્યો અને પદાર્થોના સંયોગ મનોવૃત્તિમાં નિરંતર કામવિકાર પેદા થાય છે. તે સમયે તેને યોગ્ય ભોગ્ય સામગ્રી મળે જીવ એમ માને છે કે સુખ ભોગવ્યું. પરંતુ એ અતૃપ્ત ભોગબુદ્ધિ વળી નવા વિષયો માંગે છે. “જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ, શોક, સુધા, તૃષા આદિ ઉપદ્રવવાળા સંસારને જોઈ તેમાં વસતા માણસોને વૈરાગ્ય થતો નથી તેનું કારણ મોહ જ છે. કર્મભૂમિમાં મનુષ્યપણારૂપ ઉત્તમ ધર્મબીજ પામીને અલ્પબુદ્ધિવાળા પુરુષો તે ધર્મબીજની સત્કાર્યરૂપ ખેતી કરવા પ્રયત્ન કરતા નથી. તો મનુષ્યભવ નિરર્થક ગુમાવે છે” ધર્મબિંદુ પરંતુ મુનિજનો તો આવું પારáત્ય સ્વીકારતા નથી. જન્મ જરા મરણનું મૂળ કારણ મોહ તેનો જ તેઓ નાશ કરે છે. બહારની ઉપાધિ તે મારું સ્વરૂપ નથી આવો વિવેક તેમને હોય છે. દીપકને તેલ દીવેટ પાત્ર જેવા બાહ્ય સાધનની જરૂર પડે છે, આત્મપ્રદીપને તો સ્વયમેવ અહર્નિશ પ્રકાશ મળે છે. “જે મુનિગણ સ્વાધીનપણે રહ્યા તે મુક્તિ પામ્યા છે. માટે મોક્ષાભિલાષીએ નિર્મમત્વનું ચિંતન કરવું. પરપદાર્થો પરની મમતા દૂર થવાથી તેની પ્રાપ્તિની ઇચ્છા દૂર થાય છે. ક્ષુધા, તૃષા વિકાર આદિ ઇચ્છા નિરોધરૂપ પરમતપ નિર્મમત્વથી થાય છે, માટે નિર્મમત્વ એ સર્વોત્તમ આત્મધર્મની પ્રાપ્તિનું કારણ છે. એમ જાણી મુનિજનો – સજ્જનો નિરંતર નિમમત્વને ચિંતવે છે. આ નિર્મમત્વ ભાવ ચિંતવવા માટે કોઈ પ્રકારનો ક્લેશ ઉઠાવવો પડતો નથી. બીજાની પાસે યાચના કરવી પડતી નથી. કોઈ ચિંતા, ફિકર કે વ્યગ્રતા થતાં નથી. ધનાદિ ખર્ચવું પડતું હૃદયપ્રદીપનાં અજવાળાં જ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy