________________
Tv
I
tr
क्षुधातृषाकामविकाररोषहेतुश्च तद् भैषजवद् वदन्ति । तदस्वतन्त्रं क्षणिक प्रयासकृद्, यतीश्वरा दूरतरं त्यजन्ति ।। १८ ।।
સુધા, તૃષા, કામવિકાર, ક્રોધ, એનો થતો ભોગ થકી નિરોધ; હા, કિંતુ એ તો ક્ષણમાત્ર ચાલે, એ પારતંત્ર્ય મુનિઓ ન મહાલે. ૧૮
ભૂખ, તરસ, કામ, વિકાર અને રોષ આ બધાંની શાંતિ શેનાથી થાય ? અન્નથી ભૂખ, જળથી તરસ મટે છે. વિચારવાન લોકો અન્ન વગેરે ક્ષુધાદિની તૃપ્તિના ઉપાયો ઔષધ જેવા કહે છે. પણ એ તો પરાધીન ઉપાય છે. એ ક્ષણિક પણ છે. અને આવાસ (પ્રયત્ન)જન્ય છે. મુનિઓ દૂરથી જ આવા ઉપાયો છોડી દે છે.
આ દેહની રચના કથંચિત આશ્ચર્યકારી છે. રોટલી હો કે શીરો હો, રસ પોષે, ઉદરપૂર્તિ કરે, પણ અંતે તે સપ્તધાતુરૂપે પરિણમે. વળી ઔદારિક દેહની રચના જ એવી છે કે તેમાં સુધા, તૃષા, પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. કારણ કે તે તૃપ્ત થનારા દેહના ગુણધર્મી નથી. પણ આહાર દ્વારા સુધાનો પ્રતિકાર થાય છે. જળ દ્વારા તૃષાનો પ્રતિકાર થાય છે. પરંતુ દેહલક્ષી વૃત્તિમાં એમ સમજાય છે કે
૮૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org