SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જે જીવોમાં ઉત્તમ ગુણવાનોના ગુણોનો અનુરાગ છે તે જીવો આ લોકમાં જનપ્રિયતા તથા અનેક પ્રકારની રિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરલોકમાં દેવ દેવેન્દ્ર તણી લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેઓનું જીવન ધન્ય છે. જો ગુણાનુરાગ નથી તો તપ કે શાસ્ત્રજ્ઞાન પણ શ્રેયસાધક નથી. અન્યના ગુણોનો ઉત્કર્ષ સાંભળીને જો જીવ તેમાં પણ દોષ જુએ છે, પોતે ગુણહીન છતાં મત્સર ધરે છે તો અવશ્ય દુર્ગતિ પામે છે. ઈર્ષારૂપી અગ્નિમાં શેકાતો તું જો અન્યના ગુણોને જોવાને બદલે દોષોને જુએ છે તો દીર્ઘકાળ સુધી દુઃખની વૃદ્ધિ કરતો રહીશ. પરંતુ જો દોષ જોવાને બદલે ગુણો જોતો રહીશ તો સ્વયં તું ગુણવાન થઈશ. હે જીવ! જો તારે પરમપદની પ્રાપ્તિ કરવી હોય તો પરદોષ વર્જન કરજે. દોષનું દર્શન કરવું છે તો સ્વદોષનું કરવું. કહેવાય છે કે આ વૈજ્ઞાનિક યુગ નૂતન શોધનો છે. પણ જે શોધમાં નિરંતર પરિવર્તન આવતું હોય તો તે શોધ નિરર્થક છે. શોધ સદા આનંદમય દિવ્ય જીવન પ્રાપ્ત કરવાની કે અંતરક્રિયામાં કરવાની છે જેમાં જીવ ચિરકાળ સુખની પ્રાપ્તિ કરે. પરદોષદર્શન ત્યજવાની એક ચાવી. તમને સમાચાર મળ્યા સંબંધીને કેન્સર થયું છે. અરે ! એમને કેન્સર થયું છે? મટી તો જો ને! આ પ્રતિભાવ અનુકંપા મિશ્રિત હોય છે. આ જ પ્રતિભાવને કોઈના દોષને જોતાં કેમ ન આવી શકે ! અરે આવો દોષ કેમ લાગી ગયો! આવો ભયંકર રોગ એમને ! મટી તો જશે ને? કોઈના દોષ જોતાં સાધકને તિરસ્કારનો લય? એ તો અસંભવિત ઘટના ગણાય. સ્વની વૈભવી દુનિયા છોડી પરમાં જવાનું સાધકને કેમ પાલવે ?” ૫૮ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy