SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જો પોતાને ઇચ્છિત ન બને ત્યારે ચિંતા કરે છે. જે કાળે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનું પરિણમન જે પ્રમાણે થવાનું હોય તેમ થાય છે. તું તેમાં હસ્તક્ષેપ કરીને ફેરફાર કરી શકવાનો નથી છતાં શાને ચિંતા કરે છે ? પરંતુ ધન, માન, પ્રતિષ્ઠાના મોહે જીવની તૃષ્ણા એવી ભયંકર છે કે વધુ પ્રાપ્ત કરવાની જંજાળમાં ચિંતા કરે છે. આવી ચિંતા દ્વારા તે અનેક ભયોથી ઘેરાઈ જાય છે. આ જીવનમાં મારું, મારા પરિવારનું શું થશે? શરીરમાં રોગ જણાતાં ભય પામે છે. મૃત્યુનો ભય તો માથે તોળાય છે. ધન – માલની રક્ષાની ચિંતા ભૂતના જેવો વળગાડ છે. આમ અનેક પ્રકારની ચિંતાથી જીવતો સંસારમાં સુખ કેમ માનતો હશે! હે ચેતન ! તારું લક્ષણ તો ચતુરનું છે. છતાં શા માટે પારકી ચિંતા કરી દુઃખી થાય છે. સ્વનું શું થશે? તેનો વિચાર કરે તો તને જણાશે કે જગતનું ભલું કરવાની ઇચ્છા છતાં તેમ થવું શક્ય નથી. તો પછી સ્વનું શ્રેય સાધી આ વિનશ્વર દેહાદિથી મુક્ત થઈ જા. બુદ્ધિમાન લોકો તને તર્કથી દ્વિધામાં મૂકશે કે સ્વનું શ્રેય એ તો સ્વાર્થજનિત છે. સ્વનું હિત કરનારની દશાનું જીવોને જ્ઞાન નથી. સ્વશ્રેયવાળો પરને દુઃખ પહોંચાડી કે પરદોષદર્શન કરી શાને માટે પોતે કર્મથી ભારે થાય! સ્વશ્રેય સાધક જો ગૃહસ્થ છે તો સ્વજન કુટુંબને ધર્મમાર્ગમાં પ્રેરશે, પરિવારને સંસ્કારનો વારસો આપશે. ધન હશે તો દાન કરશે. અને સંયમ તપ જેવાં અનુષ્ઠાનો વડે સ્વશ્રેય સાધતો રહેશે. જો સાધુ હશે તો સમભાવમાં રહેશે. જંતુને પણ પોતાના આત્મા જેવો માનશે. કષ્ટ સહીને પણ પરનું રક્ષણ કરશે. સર્વ જીવો સાથે મૈત્રી જેવા ભાવોથી નિર્દોષ સંબંધ રાખશે. સ્વનું શ્રેય સાધનારની પવિત્રતા જગતના શ્રેયનું કારણ બને છે. આથી જ્ઞાનીજનો સ્વશ્રેય માટે સંસારનાં સુખો જતાં કરી દે છે. જેમાં સ્વ-પર શ્રેય સહજ બને છે. હૃદયપ્રદીપનાં અજવાળાં પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy