SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માના બોધનું રહસ્ય પણ આ છે કે રાત્રે કે દિવસે એક ક્ષણ માટે પણ હું કોઈનું બૂરું ચિંતવું નહિ. પરાયા દોષ જોઉં નહિ. મારાં વચન એવાં ન હોય કે કોઈને દુઃખ લાગે. મારી શરીરની કોઈ ચેષ્ટા એવી ન હોય કે કોઈને દુઃખ લાગે. જેને આત્માના ગુણો વિશ્વાસ નથી તેનો જીવને પર દોષો જોવાની ફુરસદ મળે છે, જેમાં તે સ્વયં પાપનાં પોટલાં બાંધે છે, છતાં ગમે તેવા દોષોના ઢગલા વચ્ચે પણ મૂળમાં રહેલા ગુણો ક્યાંક તો પ્રગટ થતા રહે છે. કારણ કે તત્ત્વથી આત્મા ગુણયુક્ત છે. લૂંટારાઓ નિર્દયપણે લૂંટ કરે, માનવોની હત્યા કરે પણ પોતાના રક્ષણ જેવા કાર્ય માટે કૂતરો રાખે, તેને પ્રેમથી પંપાળે, આ પ્રેમ ક્યાંથી પ્રગટે છે ? ભલે તેમાં તેનો સ્વાર્થ છે પણ ક્યાંક પ્રેમ પણ છે. કૂતરા પ્રત્યે કરુણા પણ છે. આમ ગુણ તો ગુણ જ હોય પરંતુ અજ્ઞાનતાને કારણે ગુણ સાથે દોષનું મિશ્રણ ગુણને વિકૃત કરે છે. કોઈ વ્યક્તિ દાન કરે અને માયાચાર કરે તો દોષદર્શીને માયાચાર દેખાશે, દાનની ભાવના નહિ જણાય. માયાચાર દોષ તો છે જ પરંતુ તારે દોષદર્શી થઈને કંઈ મેળવવાનું નથી. પણ જીવમાં દોષદર્શનનું દૂષણ પડ્યું છે તેથી ગુણગ્રાહકતા ગૌણ બની જાય છે. પણ ભાઈ તારી પાસે જ તારા દોષનું પોટલું ક્યાં નાનું છે, જન્મોથી લઈને ફરે છે, હજી તેનો ભાર ઓછો થયો નથી ત્યાં બીજાના દોષનો ભાર તેમાં ક્યાં ભરવા જાય છે ? અવશેન નિંદિઅત્રો, પસંસિ અવો નહુ ક્યાવિ અધ્ધા સમન્ત્રાવો કાયનો,બોહલ્સ રહસ્ય ઇણમેવ. હું કોઈના દોષને જાણી નિંદા ન કરું અને મારા આત્માની પ્રશંસા ન કરું, દરેક જીવ પ્રત્યે સમભાવે રહું. હે પ્રભુ આપના બોધનું આ રહસ્ય મને પ્રાપ્ત થાઓ. જગતમાં જીવ એક પરમાણુમાત્રની રચનામાં ફેરફાર કરી શકતો નથી. યોગાનુયોગ કંઈ બને ત્યારે તે કર્તુત્વનું અહં કરે છે, અને પ૬ જ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy