________________
આકાશની પેઠે, તો તું હવે શું છોડવા માગે છે? માત્ર દેહમાં હુંપણાની જે બુદ્ધિ છે તેને મિટાવીને તું તારામાં લય પામ.
તમે સામાયિકમાં બેઠા. તમારે સમભાવમાં રહેવાનું છે. ન રાગમાં ન Àષમાં. એ શુભને ઘૂંટવાની પ્રક્રિયા આગળ વધશે. તે સ્વાધ્યાય કે નવકારમંત્રમાં પરોવાશે. આમ તમે શુભમાં ગયા એટલે રતિ/અરતિ, રાગ-દ્વેષ, અહમ્ આદિથી છુટકારો મળ્યો. હવે શુભભાવને ઘંટો, તેમાં એકાગ્ર બનો. ધ્યાનમાં જતા રહેશો, ત્યારે શુદ્ધ સમત્વનો અનુભવ થશે.”
પ્રશમનું સુખ અને પરમ સમાધિની અદ્દભુતતા અજબની
દીઠો સુવિધિ નિણંદ, સમાધિરસે ભર્યો હો લાલ, ભાસ્યું આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો હો લાલ; સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો હો લાલ, સત્તા સાધનમાર્ગ ભણી એ સંચર્યો હો લાલ !”
શ્રી દેવચંદ્રજી પ્રશમનું સુખઃ પરમ સમાધિથી પ્રભુ ભરપૂર છે. તેવા સુવિધિ જિનેશ્વરનું ગુણસ્વરૂપ જોતાં, તેમાં રસમય થતાં પોતાના સ્વરૂપનું ભક્તને ભાસન, અનુભવ થાય છે કે જે સ્વરૂપનું, જીવને અનાદિથી વિસ્મરણ હતું, તે હે પ્રભુ! જ્યારે આપનું પરમ સમાધિરૂપ દર્શન થતાં મને ભાન થયું ત્યારે એવું બન્યું કે રાગ, દ્વેષ, મોહજનિત જે વિભાવ હતા, તે દૂર થઈ ગયા અને મન સર્વ ઉપાધિરહિત થયું.”
પ્રભુ, તમારા દર્શનથી જીવને પણ સ્વરૂપનું ભાન થયું, તેથી સત્તામાં રહેલા આત્મસ્વરૂપ પ્રત્યે જીવની દૃષ્ટિ થઈ
૫૪ હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org