SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મઅનુભૂતિના આધારે વિશ્વાસે પોતે પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ છે તેમ જાણે છે. તેવું જ્ઞાનવેદન દેહાદિના રાગથી. ભેદપણે રહીને નિઃશંકિત સ્વાધીન સુખને જાણે છે. એ આંશિક અનુભવ વૃદ્ધિંગત થઈને પરિપૂર્ણતા પામશે. ભોગો આદિની વૃત્તિ સ્વાનુભૂતિમાં બાધક છે તેમ જાણી જ્ઞાની તેના પ્રત્યે ઉદાસીન રહે છે. આત્માનુભૂતિરૂપ જ્ઞાનના વેદનમાં જ્ઞાનીને રાગાદિનું વેદન નથી, સ્વના વેદનમાં તેઓ કુશળ છે. તેથી રાગાદિ, સુખાદિનો ઉદય તો છે પણ તેને બાહ્ય અવસ્થાઓ જાણી રાગાદિરૂપે પરિણમતા નથી. પુદ્ગલાદિપદાર્થો માત્ર જ્ઞેયરૂપ છે, વેદનારૂપ નથી તેથી તેમને તેમાં સ્વબુદ્ધિનો ભ્રમ પેદા થતો નથી. જન્મ મરણથી નિરંતર વ્યાપ્ત એવા આ સંસારમાં સર્વત્ર ભય જ છે. બાળક હોય ત્યારે પરવશતામાં પડ્યો રહે છે. યુવાની ચાર દિવસની ચાંદનીની જેમ પૂરી થઈ જાય છે. વળી વૃદ્ધાવસ્થાનો ભય જીવને ઘેરી લે છે. આવા દુઃખદ અને ભયનિત સંસારમાં આત્મસુખના અનુભવી ક્ષણમાત્ર રહી શકતા નથી. જો બાહ્ય સંપત્તિનો તારો દૃષ્ટિકોણ બદલાય તો અખૂટ શક્તિથી ભરેલો આત્મા સંપત્તિમય છે, તેને વિપત્તિમય ગણવો તે દૃષ્ટિદોષ છે. ઊંધી ચાલે ચાલવાથી પુનઃ જન્મ લઈ ઊંધે માથે રહી જન્મ ધારણ કરવો પડે છે. પરિણામે જીવન ઉચ્ચતાના હેતુ રહિત બને છે. તત્ત્વદૃષ્ટિયુક્ત જીવન એ તો પવિત્ર તીર્થયાત્રા છે. ઇન્દ્રિયોના સ્થૂલ વિષયોથી ઉ૫૨ ઊઠી સૂક્ષ્મમાં પ્રવેશ કરવાનો છે. જ્યાં આનંદમય આત્મવૈભવનું જ સામ્રાજ્ય છે. વીતરાગી પ્રતિમાથી આવું દર્શન જીવને થાય છે પરંતુ ચક્ષુમાં વિકારી મુદ્રાઓ અંકિત થવાથી એ દર્શન દુર્લભ થયું છે. આત્માનુભૂતિના લયનો ઉપાય બતાવે છે “તારો કોઈની સાથે સંગ નથી. તું શુદ્ધ છે, તું અસંગ છે, હ્રદયપ્રદીપનાં અજવાળાં ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy